પંજાબમાં બહુ જલ્દી ઘર આંગણે સરકારી સેવાઓ મળશે, અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી
ક્રાંતિકારી નિર્ણયો માટે જાણીતી આમ આદમી પાર્ટીની પંજાબની ભગવંત માન સરકાર વધુ એક ક્રાંતિકારી સેવા શરૂ કરવા જઈ રહી છે. પંજાબમાં બહુ તમામ સરકારી સેવાઓ ઘરને આંગણે મળી રહેશે.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગાંધી જયંતિ પર પટિયાલામાં નવા ઈમરજન્સી અને પીડિયાટ્રીક વોર્ડનું ઉદ્ઘાટન કર્યું હતું.

અરવિંદ કેજરીવાલે આ પછી તેમણે આમ આદમી પાર્ટીની રેલીને સંબોધિત કરી અને આ દરમિયાન તેમણે પંજાબના લોકો માટે મોટી જાહેરાત કરી. સીએમ કેજરીવાલે કહ્યું કે, પંજાબમાં ટૂંક સમયમાં સરકારી સેવાઓની ઘરઆંગણે ડિલિવરી શરૂ થશે.
તેમણે કહ્યું કે, હવે લોકોને સરકારી કામ કરાવવા માટે ઓફિસોમાં જવું નહીં પડે. તમારે માત્ર એક કોલ કરવાનો છે. સરકારી માણસો જાતે તમારા ઘરે આવશે. તમારે ક્યાંય જવાની જરૂર નથી.
અરવિંદ કેજરીવાલે રેલીને સંબોધિત કરતા કહ્યું કે, ભગવંત માન જલ્દી આ કામ શરૂ કરશે. લોકોને સરકારી કચેરીઓમાં જવાની જરૂર નહીં પડે. દિલ્હીની જેમ પંજાબમાં પણ તેને લાગુ કરવામાં આવશે.
કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં અમે 1076 નંબર આપ્યો છે. શું તમારી પાસે સરકારી ઓફિસમાં કામ છે? તમારે તહેસીલદાર કે પટવારી પાસે જવાની જરૂર નથી. તમારે ફક્ત તે નંબર પર કૉલ કરવાનો છે. તેમને કહો કે અમારે જાતિનું પ્રમાણપત્ર, રેશનકાર્ડ, વીજળી કનેક્શન, પાણીનું કનેક્શન કે અન્ય કોઈ કામ કરાવવાનું છે. તમારે જે પણ કામ કરાવવાનું હોય તે નંબર પર ફોન કરો. ત્યાંથી અવાજ આવશે કે અમે તમારા ઘરે કેટલા વાગે આવીને તમારૂ કામ કરીએ?
#WATCH | AAP National Convenor and Delhi CM Arvind Kejriwal at a public meeting in Punjab's Patiala
— ANI (@ANI) October 2, 2023
"The doorstep delivery of government services will soon start in Punjab..." pic.twitter.com/0G2zAaQGFc
તમારે ઓફિસ જવાની જરૂર નથી. સરકારી અધિકારીઓ તમારું કામ કરાવવા તમારા ઘરે આવશે. તમારે કોઈ બ્રોકર પાસે જવાની જરૂર નથી. અત્યાર સુધી આ સુવિધા માત્ર દિલ્હીમાં ઉપલબ્ધ હતી, હવે તેને પંજાબમાં પણ લાગુ કરવામાં આવશે. તમારે ક્યાંય જવાની જરૂર નથી. ફક્ત કૉલ કરો અને તેમને તમારું સરનામું અને ફોન નંબર જણાવો. સરકારી અધિકારીઓ તમારા ઘરે આવશે અને તમારું કામ કરશે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
