પોલીસ-પુજારી વચ્ચેના ઝઘડામાં બંધ થયું પુરીનું જગન્નાથ મંદિર
પોલીસ-પુજારી વચ્ચેના ઝઘડામાં બંધ થયું પુરીનું જગન્નાથ મંદિર
પુરીઃ ઓરિસ્સાના પુરીમાં 12મી સદીના જગન્નાથ મંદિરમાં શુક્રવારે હજારો ભક્તોએ કલાકો ઈંતેજાર કર્યા બાદ નિરાશ થઈ પરત ફરવું પડ્યું. કેમ કે પંડા અને પોલીસ વચ્ચે થયેલ મારપીટ બદ પંડિતોએ મંદિરના કપાટ ખોલવાની ના પાડી દીધી. ગુરુવારે રાત્રે મંદિર પરિસરમાં જ પોલીસ અને પુજારીઓ વચ્ચે મારપીટ થઈ હતી. ઘટનાને પગલે એક પુજરી ઘાયલ થયો હતો. બંને તરફથી સિંહદ્વાર પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધાવવામાં આવ્યો છે. પોલીસ કોન્સ્ટેબલ વિશ્વજીત પરીજ અને સેવાયત ભવાની શંકર મહાપાત્રની વચ્ચે મારપીટની વચ્ચે મારપીટ થઈ હતી.

અધિકારીઓએ આરોપ લગાવ્યો
અધિકારીઓએ આરોપ લગાવ્યો છે કે મંંદિરમાં પંડા ભવની શંકર મહાપાત્રા ગુરુવારે સાંજે મંદિરની અંદર ત્રણ ભક્તોને લઈ જવાની કોશિશ કરી રહ્યા હતા. મુખ્ય ગેટ પર પોલીસે તેમને રોક્યા કેમ કે તેમને શંકા હતી કે તે શખ્સ હિન્દુ નથી. મંદિરમાં માત્ર હિન્દુ જ પ્રદેશ કરી શકે છે. 1984માં પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીને પુજારીઓએ મંદિરમાં પ્રવેશ કરવાની મંજૂરી નહોતી આપી કેમ કે તેમણે એક પારસી સાથે લગ્ન કર્યાં હતાં. 2006માં એક સ્વિસ નાગરિક એલિજાબેથ જિગલરે મંદિરમાં 1.78 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું, છતાં તેમને મંદિરમાં નહોતા જવા દેવાયા કેમ કે તેઓ ઈસાઈ હતી.

પરીજાએ પંડાને રોક્યો
ગુરુવારે જ્યારે પોલીસ કોન્સ્ટેબલે વિશ્વજીત પરીજાએ પંડાને રોક્યો તો શંકર મહાપાત્રએ કહ્યું કે આ ભક્ત બંગાળી છે, જે વાતને લઈ બંને વચ્ચે હાથાપાઈ થઈ. મહાપાત્રાએ કહ્યું કે મંદિરમાં પોલીસકર્મીઓએ બિનજરૂરી બબાલ કરી અને તેમની સાથે દુર્વ્યવહાર કરવાની કોશિશ કરી. પર્યટક તમામ બંગાલથી હતા, પરંતુ પોલીસે અંદર જવા દેવાની મંજૂરી નહોતી આપી. મંદિર પ્રશાસન અમારા અધિકારોને દબાવી રહ્યું છે. જેને સહન ન કરી શકાય.

સમાધાનની કોશિશ
આ ઘટના બાદ મહાપાત્ર અને પોલીસ કોન્સ્ટેબલ બંનેએ સિંહદ્વાર પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ એફઆઈઆર નોંધાવી છે. મામલાને શાંત પાડવા માટે મંદિર પ્રશાસન અને સેવાયતોના વચ્ચે સમાધાનની કોશિશ કરવામાં આવી પરંતુ તે નિષ્ફળ રહી. પુજારીઓએ કોન્સ્ટેબલની ધરપકડ અને સસ્પેન્ડ કરવાની માગણી કરી. બીજી બાજુ મંદિર બંધ થતાં હજારો ભક્તોએ દર્શન કર્યા વિના જ પરત ફરવું પડ્યું.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
