હડતાળ નહીં રોકે અમારી સરકાર: સમાજવાદી પાર્ટી

utter pradesh
લખનઉ, 14 ડિસેમ્બર: રાજ્યસભામાં આવેલ પ્રમોશનમાં અનામતના બિલના વિરોધમાં યુપીમાં લગભગ 18 લાખ કર્મચારીઓ અમર્યાદીત હડતાળ પર ઉતરી ગયા છે. બીજી બાજુ બીલનો વિરોધ નોંધાવી રહેલા સમાજવાદી પાર્ટીએ પણો જણાવી દીધું કે પ્રદેશની સરકાર આ હડતાળનો ભંગ કરવા માટે કોઇ પ્રયત્નો નહીં કરે.

સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ નરેશ અગ્રવાલે જણાવ્યું કે ઉત્તર પ્રદેશની સરકાર કર્મચારીયોની હડતાળ ભંગ કરવાની કોઇ પ્રયત્ન નહી કરે. જો યુપીમાં કામકાજ પર અસર પડશે તો દેશને પણ નુકસાન થશે કારણ કે આ બીલથી તમામ એ લોકોને મહત્વપૂર્ણ હોદ્દાઓ પર બેસાડવામાં આવશે જે તેના યોગ્ય નહીં હોય.

નરેશ અગ્રવાલે જણાવ્યું કે હાલમાં હડતાલ પર 18 લાખ કર્મચારી છે અને તે આગળ જઇને 18 કરોડ થશે. 82 ટકા લોકોને ડિપાર્ટમેન્ટ હેડ બનવાની તક નહી મળે. આ દેશની ભાવના છે. રામ મંદિરની ભાવના કઇ સરકાર તોડી શકી હતી. આ જ રીતે કર્મચારીઓની આ ભાવનાને તોડવાની હિમ્મત યુપી સરકાર નહીં કરે.

ઉલ્લેખનીય છે કે પ્રમોશનમાં અનુસૂચિત જાતિ અને જનજાતિના કર્મચારીઓ અને અધિકારીઓને અનામત આપવાના પ્રસ્તાવનો વિરોધ કરી રહેલ યુપીના સરકારી કર્મચારીઓના સંગઠન સર્વજન હિતાય સંરક્ષણ સમિતિએ હડતાળનું એલાન કરી દીધું. અને ઉત્તરપ્રદેશમાં કર્મચારીઓની આ હડતાળ જારી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X