શુ છે હિન્દુ ગ્રોથ રેટ? જેને લઇને પૂર્વ EBI ગવર્નર રઘુરામ રાજન ચિતા વ્યક્ત કરી
રઘુરામ રાજન અનુસાર હિન્દુ ગ્રોથ રેટ ખતરનાક રુપની નજીક છે. તેની પાછળ ઉચ્ચ વ્યાજ દર, પ્રાઇવેટ કંપનીના ઓછા રોકાણ વગેર છે.
ભારતીય રિજર્વ બેન્કના પૂર્વ ગર્વનર રઘુરામ રજાને અર્થવ્યવસ્થાની હાલત પર ફરી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે સ્પષ્ટ રીત કહ્યુ છે કે, ભારતીય હિન્દુ ગ્રોથ રેટ ચિંતાજનક રૂપથી નજીક છે. તે ભારતની અર્થવ્યવસ્થા માટે મોટી સમસ્યા છે. તેમણે ખાનગી ક્ષેત્રના ઓછા રોકાણ, ઉચ્ચ વ્યાજ દરો અને વૈશ્વીક વિકાસમાં મંદી માટેના કારણોના રૂપને જવાબદાર ઠેરવ્યા છે. તમને જણાવી દઇએ કે, અંહી સ્પષ્ટ કરી દઇએ કે, હિન્દુ ગ્રોથ રેટ અર્થવ્યવસ્થાને લઇને એક ટેકનીકલ ટર્મ છે. જેનો ધર્મ સાથે કોઇ લેવાદેવા નથી.

રઘુરામ રાજને એક ટિપ્પણી રાષ્ટ્રીય સાંખ્યીક કાર્યાલય NSO દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટ બાદ આવ્યુ છે. જેમા રાષ્ટ્રીય આવકમાં લગાતાર મંદી જોવા મળી રહી છે. રિપોર્ટ અનુસાર બીજી ત્રીમાસીક જુલાઇ સપ્ટેમ્બરમાં 6.3 ની સરખામણીમાં ત્રીજી ત્રીમાસીક ઓક્ટોબર- ડિસેમ્બર માં દેશનો જીડીપી ગ્રોથ રેટ ઘટીને 4.4 રહી ગયો છે.
પૂર્વ આરબીઆઇ ગવર્નરે કહ્યુ કે, સરકારે જે આંકડા રજુ કર્યા છે. તેમા ત્રિમાસીક આધાર પર જીડીપી ગ્રોથ રેટ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આરબીઆઇએ આ નાણાકીય વર્ષના અંતિમ ત્રિમાસીક 4.2 ટકા ઓછો થવાનુ અનુમાન લગાવામાં આવ્યુ છે. આ આંકડા ચિતાનો વિષય છે. વર્તમાન સમયમાં પ્રાઇવેટ સેક્ટરના ઓછા રોકાણ માટે તૈયાર નથી. ગ્લોબલ ગ્રોથ રેટને ધીમે કરવાનુ અનુમાન છે. ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસીકની સરેરાસ વાર્ષિક વૃદ્ધિ 3 વર્ષ પહેલાની મહામારી ત્રિમાસીકના સાપેક્ષ 3.7 ટકા છે. આ આંકડાને જોવામાં આવે તો લાગે છે કે, આપણે હિન્દુ ગ્રોથ રેટના ખતરનાક રુપની નજીક છે. એવામાં સરકારે આનો સામનો કરવા માટે પગલા લેવા જોઇએ. જો કે, તેમણે એ પણ કહ્યુ કે, જો 2023-24 આપણી જીડીપી ગ્રોથ રેટ 5 રહેશે તો વધારે નહી રહે.












Click it and Unblock the Notifications
