રાહુલ અને પ્રિયંકાને મળ્યા નવજોત સિદ્ધુ, જાણો આગળની રણનીતિ
જેલમાંથી છૂટ્યા બાદ પહેલી વાર નવજોત સિંહ સિદ્ધુએ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી. ત્રણેય નેતાઓની નવી દિલ્હી ખાતે મુલાકાત કરી હતી. આ પહેલા રાહુલ અને પ્રિયંકા ગાંધીએ નવજોત સિંહ સિદ્ધુ સાથે ફોન પર વાત પણ કરી હતી.
નવજોત સિદ્ધુએ રાહુલ અને પ્રિયંકા ગાંધી સાથેના બે ફોટોગ્રાફ ટ્વિટર પર શેર કર્યા અને લખ્યું કે, તેઓ ગુરુવારના રોજ નવી દિલ્હીમાં તેમના માર્ગદર્શક રાહુલ ગાંધી અને મિત્ર, ફિલોસોફર, માર્ગદર્શક પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી.

સરકાર પર નિશાન સાધતા સિદ્ધુએ લખ્યું હતું કે, તમે મને જેલમાં ધકેલી શકો છો, મને ધમકાવી શકો છો, મારા તમામ નાણાકીય ખાતાઓ બ્લોક કરી શકો છો, પરંતુ પંજાબ અને મારા નેતાઓ પ્રત્યેની મારી પ્રતિબદ્ધતા ન તો ઝૂકીશ કે ન તો એક ઈંચ પણ પાછળ હટશે. ઉલ્લેખનીય છે કે, નવજોત સિંહ સિદ્ધુ જેલમાંથી છૂટ્યા બાદ ખૂબ જ સક્રિય થઈ ગયા છે.
આ અગાઉ સ્વર્ગસ્થ પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાના માતા-પિતાને મળ્યો હતો અને પંજાબ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેઓ 8 એપ્રિલના રોજ જલંધરમાં દિવંગત સાંસદ સંતોખ ચૌધરીના પરિવારને મળશે.
ઉલ્લેખનીય છે કે, સંતોખ ચૌધરીનું જાન્યુઆરીમાં ભારત જોડો યાત્રા દરમિયાન હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હતું. આ બાદ કોંગ્રેસે જલંધર લોકસભા પેટાચૂંટણીમાં તેમની પત્નીને પાર્ટીનો ઉમેદવાર બનાવ્યો છે.












Click it and Unblock the Notifications
