અંકિતા મર્ડર મુદ્દે રાહુલ ગાંધીના બીજેપી પર પ્રહાર, કહ્યું-અંકિતાના મોતનું કારણ તેણે વેશ્યા બનવાની ના પાડી!
અંકિતા ભંડારી હત્યા કેસને લઈને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મંગળવારે ઉત્તરાખંડ સરકાર અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા.
નવી દિલ્હી, 27 સપ્ટેમ્બર : અંકિતા ભંડારી હત્યા કેસને લઈને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મંગળવારે ઉત્તરાખંડ સરકાર અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા. રાહુલ ગાંધીએ કહ્યું કે અંકિતા ભંડારીના મૃત્યુનું એકમાત્ર કારણ એ છે કે તેણે વેશ્યા બનવાની ના પાડી હતી તે હતું.
રાહુલ ગાંધીએ કેરળના પંડિકડ, મલપ્પુરમ, ઉત્તરાખંડમાં ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે આ દેશમાં કેટલાક એવા લોકો છે જે મૂંઝવણમાં છે. તેઓ એ વિશ્વાસમાં છે કે ભારતની સમસ્યાઓનો જવાબ આ દેશમાં નફરત, હિંસા અને ગુસ્સો ફેલાવવામાં છે. તેઓ આ દેશને વિભાજિત અને નબળા કરવામાં માને છે.
#WATCH | The only reason she is dead is, that she refused to become a prostitute, says Congress MP Rahul Gandhi speaks on Ankita Bhandari murder case, slams BJP govt in Uttarakhand pic.twitter.com/at6F37kGNm
— ANI (@ANI) September 27, 2022
રાહુલ ગાંધીએ કહ્યું કે, આરએસએસ અને ભાજપે હંમેશા મહિલાઓનો ઉપયોગ એક વસ્તુ તરીકે કર્યો છે.
અહીં તમને જણાવી દઈએ કે અંકિતા ભંડારી હત્યા કેસમાં બીજેપી નેતાના પુત્ર પુલકિત આર્ય પર હત્યાનો આરોપ છે અને રોજરોજ નવા આરોપો અને ખૂલાસા થઈ રહ્યા છે.