રાહુલ ગાંધીનો PM મોદી પર પ્રહાર, કહ્યું- ભાજપની નીતિઓને કારણે કાશ્મીરમાં આતંકવાદ ચરમ પર
રાહુલ ગાંધીનો PM મોદી પર પ્રહાર, કહ્યું- ભાજપની નીતિઓને કારણે કાશ્મીરમાં આતંકવાદ ચરમ પર
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરી પંડિતની હત્યાને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા કહ્યું કે તેમણે સામાન્ય નાગરિકોની સુરક્ષાની જવાબદારી ઉઠાવી શાંતિ સ્થાપવાની કોશિશ કરવી જોઈએ.

રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે એક ફિલ્મ પર બોલવું, કાશ્મીરી પંડિતોના નરસંહાર પર બોલવાથી વધુ મહત્વનું છે.' રાહુલ ગાંધીએ ઘાટીમાં ફરી વધી રહેલી આતંકવાદી ઘટનાઓ માટે ભારતીય જનતા પાર્ટીની નીતિઓને જવાબદાર ઠેરવી છે અને કહ્યું છે કે, 'ભાજપની નીતિઓને કારણે જ આજે કાશ્મીરમાં આતંકવાદ ચરમ પર છે. વડાપ્રધાન મોદીજી, સુરક્ષાની જવાબદારી લો અને શાંતિ સ્થાપવાની કોશિશ કરો.'
ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં રાહુલ ભટ્ટની હત્યાને લઈ કાશ્મીરી પંડિતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. શુક્રવારે હત્યાના વિરોધમાં 350 સરકારી કર્મચારીઓએ રાજીનામું આપી દીધું. તમામે પોતાના રાજીનામાં ઉપરાજ્યપાલ મનોજ સિન્હાને મોકલી આપ્યાં છે. આ બધા કાશ્મીરી પંડિત પ્રધાનમંત્રી પેકેજના કર્મચારી છે. તેમનું કહેવું છે કે આતંકવાદીઓ દ્વારા સરકારી કર્મચારી રાહુલ ભટ્ટની હત્યા બાદ તેઓ ઘાટીમાં ખુદને અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે. જ્યારે કાશ્મીરી પંડિતોએ સાંજે લાલ ચોક પહોંચી કેન્ડલ માર્ચ કાઢી.
-
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત




Click it and Unblock the Notifications
