અશોક ગેહલોત - સચિન પાયલટ વચ્ચેના વિવાદ પર રાહુલ ગાંધીએ તોડી ચુપ્પી, જાણો શું કહ્યું?

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાજસ્થાન કોંગ્રેસ સંકટને લઈને મોટી વાત કહી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસની અંદરની આવી વાતોથી ભારત જોડો યાત્રા પર કોઈ અસર થવાની નથી. તેમણે ભાજપ પર પણ નિશાન સાધતા કહ્યું કે આ પહેલા પણ કોંગ્રેસને ન

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાજસ્થાન કોંગ્રેસ સંકટને લઈને મોટી વાત કહી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસની અંદરની આવી વાતોથી ભારત જોડો યાત્રા પર કોઈ અસર થવાની નથી. તેમણે ભાજપ પર પણ નિશાન સાધતા કહ્યું કે આ પહેલા પણ કોંગ્રેસને નુકસાન પહોંચાડવાના મોટા પ્રયાસો થયા છે. ભાજપ પર ગંભીર આરોપ લગાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે લોકોમાં મારી છબી ખરાબ કરવા માટે મોટા પાયા પર કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

Rahul Gandhi

'ભારત જોડો યાત્રા' દરમિયાન સોમવારે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ રાજસ્થાન કોંગ્રેસમાં થયેલા હંગામા પર પોતાનું મૌન તોડ્યું હતું. વાસ્તવમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે સચિન પાયલટને 'દેશદ્રોહી' કહ્યા હતા. જે બાદ ઇન્દોરમાં રાજસ્થાન કોંગ્રેસ અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, "હું એમાં જવા નથી માંગતો કે કોણે શું કહ્યું. બંને નેતાઓ કોંગ્રેસ પાર્ટીની સંપત્તિ છે. તેનાથી 'ભારત જોડો યાત્રા' પર કોઈ અસર નહીં થાય.

આ સાથે જ તેમણે ભાજપ પર પણ નિશાન સાધ્યું હતું. 'ભારત જોડો યાત્રા' માટે મળી રહેલા સમર્થનથી પ્રોત્સાહિત થઈને રાહુલ ગાંધીએ કહ્યું, "ભાજપે મારી ઈમેજ ખરાબ કરવા માટે હજારો કરોડો ખર્ચ્યા. તેઓએ મારી ચોક્કસ ઈમેજ બનાવી. લોકો એવું વિચારવા લાગ્યા કે તે મારા માટે નુકસાનકારક હશે, પરંતુ એટલું જ મારા માટે ફાયદાકારક હશે, કારણ કે સત્ય મારી સાથે છે. મારા પરના અંગત હુમલા દર્શાવે છે કે હું સાચી દિશામાં જઈ રહ્યો છું".

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X