For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપના 303 સામે મુકાબલો કરવા માટે આપણા 52 પૂરતા છેઃ રાહુલ ગાંધી

કોંગ્રેસને લોકસભા ચૂંટણીમાં મળેલી કારમી હાર બાદ આજે દિલ્લીમાં પાર્ટીની સંસદીય બોર્ડની બેઠકમાં કોંગ્રેસના બધા નવા ચૂંટાયેલા સાંસદ પહોંચ્યા જેમને રાહુલ ગાંધીએ પોતાનો સંદેશ આપ્યો.

|
Google Oneindia Gujarati News

2019ની લોકસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ કોંગ્રેસ પાર્ટીમાં માહોલ ખરાબ છે. હારની જવાબદારી લઈને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હજુ સુધી પોતાના રાજીનામા પર અડગ છે. વળી, પાર્ટીના મોટા નેતા એ વાત માટે તૈયાર નથી કે અધ્યક્ષ પદેથી રાહુલ ગાંધી રાજીનામુ આપે. કોંગ્રેસને લોકસભા ચૂંટણીમાં મળેલી કારમી હાર બાદ આજે દિલ્લીમાં પાર્ટીની સંસદીય બોર્ડની બેઠક બોલાવવામાં આવી. આ બેઠકમાં સર્વસંમતિથી યુપીએનો ચેરપર્સન સોનિયા ગાંધીને કોંગ્રેસ સંસદીય દળના નેતા ચૂંટવામાં આવ્યા. બેઠકમાં કોંગ્રેસના બધા નવા ચૂંટાયેલા સાંસદ પહોંચ્યા જેમને રાહુલ ગાંધીએ પોતાનો સંદેશ આપ્યો.

આ પણ વાંચોઃ અમિત શાહ સહિત 3 ગુજરાતી બન્યા મોદીના મંત્રી, 2ને ફરીથી મળ્યો મોકોઆ પણ વાંચોઃ અમિત શાહ સહિત 3 ગુજરાતી બન્યા મોદીના મંત્રી, 2ને ફરીથી મળ્યો મોકો

પોતાના પહેલા સંદેશમાં રાહુલે શું શું કહ્યુ

પોતાના પહેલા સંદેશમાં રાહુલે શું શું કહ્યુ

શનિવારે કોંગ્રેસ સંસદીય બોર્ડની બેઠકને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યુ, ‘લોકસભામાં આપણા માત્ર 52 સાંસદ છે પરંતુ હું તમને ગેરેન્ટી આપુ છુ કે આપણા આ 52 સાંસદ ભારતીય જનતા પાર્ટીને દરેક મોરચે મુકાબલો કરશે. આપણે ભાજપને દરરોજ પછાડવા માટે પૂરતા છીએ. કોંગ્રેસ પાર્ટીના દરેક સભ્યએ એ યાદ રાખવુ જોઈએ કે તમારામાંથી દરેક નેતા બંધારણ બચાવવા માટે લડી રહ્યા છે, કોઈ ભેદભાવ વિના દેશના દરેક વ્યક્તિ માટે લડી રહ્યા છે. ભાજપના નેતા આપણી સામે લડવા માટે નફરત અને ગુસ્સાનો ઉપયોગ કરે છે અને આવનારા સમયમાં તમને આનો આનંદ મળવાનો છે. આપણે આક્રમક થવુ પડશે. આ સમય આત્મનીરિક્ષણ અને સંપૂર્ણપણે બદલાવનો છે.' ઉલ્લેખનીય છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ ભાજપ પર આ રાહુલ ગાંધીનો પહેલો હુમલો છે.

ડેપ્યુટી સ્પીકર પદ પર કરશે દાવો

ડેપ્યુટી સ્પીકર પદ પર કરશે દાવો

તમને જણાવી દઈએ કે શનિવારે બોલાવવામાં આવેલી બેઠકમાં સોનિયા ગાંધીને કોંગ્રેસ સંસદીય દળના નેતા ચૂંટવામાં આવ્યા. આ બેઠકમાં કોંગ્રેસના બધા રાજ્યસભા અને નવા ચૂંટાયેલા 52 લોકસભા સાંસદ પહોંચ્યા હતા. આ પહેલા 16મી લોકસભામાં પણ સોનિયા ગાંધી જ કોંગ્રેસ સંસદીય દળના નેતા હતા. સંસદીય દળના નેતા તરીકે સોનિયા ગાંધીના ચૂંટાયા બાદ કોંગ્રેસ નેતા કે સુરેશે કહ્યુ, ‘પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત બાદ સોનિયા ગાંધી લોકસભામાં વિપક્ષના નેતાની ચૂંટણી કરશે. આપણે સંસદમાં વિપક્ષના નેતા અને ડેપ્યુટી સ્પીકરના પદનો દાવો કરીશુ. આ મામલે સોનિયા ગાંધી ટૂંક સમયમાં નિર્ણય લેશે.' વળી, સોનિયા ગાંધીના સંસદીય બોર્ડના અધ્યક્ષ બન્યા બાદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યુ, ‘સોનિયા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ એક પ્રભાવી અને મજબૂત વિપક્ષી પાર્ટી સાબિત થશે જે ભારતના બંધારણની રક્ષા માટે સંઘર્ષ કરશે.'

સંસદમાં કોંગ્રેસના નેતા પર સસ્પેન્સ

સંસદમાં કોંગ્રેસના નેતા પર સસ્પેન્સ

બેઠકની માહિતી આપતા કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરીને કહ્યુ, ‘સોનિયા ગાંધીને કોંગ્રેસ સંસદીય દળના નેતા ચૂંટવામાં આવ્યા છે. તેમણે કહ્યુ કે કોંગ્રેસ પાર્ટીમાં વિશ્વાસ જાળવી રાખવા માટે અમે 12.13 કરોડ મતદારોનો આભાર માનીએ છીએ. રાહુલ ગાંધીએ પણ મતદારો અને કાર્યકર્તાઓનો આભાર માન્યો. પાર્ટીએ સોનિયા ગાંધીને લોકસભામાં નેતા ચૂંટાવા માટે અધિકૃત કર્યા છે. અમે આજે પ્રેસ કૉન્ફરન્સમાં પોતાની વાત કહીશુ.' તમને જણાવી દઈએ કે 16મી લોકસભામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જૂન ખડગેએ સંસદમાં પાર્ટીના નેતા તરીકે ચૂંટાયા હતા. આ વખતે લોકસભામાં કોંગ્રેસના નેતાના નામ વિશે હજુ સુધી સસ્પેન્સ યથાવત છે.

English summary
Rahul Gandhi First Message To MPs Of Congress Party.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X