છટણી સંબંધિત કાયદા પર રાહુલ ગાંધીનો પ્રહાર- 'ખેડૂતો બાદ હવે મોદી સરકારનો મજૂરો પર વાર'
રાહુલ ગાંધીએ સંસદમાં પાસ થયેલ એ બિલનો વિરોધ કર્યો છે જેમાં ખાનગી કંપનીઓને છટણીની મંજૂરી આપવામાં આવી છે.
નવી દિલ્લીઃ આ વખતે મોનસુન સત્રમાં ઉદ્યોગો અને કૃષિ સાથે જોડાયેલ ઘણા મહત્વના બિલ પાસ થયા છે. જેના પર વિપક્ષી પાર્ટીઓ મોદી સરકાર પર પ્રહાર કરી રહી છે. સાથે જ તેને ખેડૂત અને મજૂર વિરોધી ગણાવી રહી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ પણ લાંબા સમયથી સરકાર સામો મોરચો ખોલ્યો છે. હવે તેમણે સંસદમાં પાસ થયેલ એ બિલનો વિરોધ કર્યો છે જેમાં ખાનગી કંપનીઓને છટણીની મંજૂરી આપવામાં આવી છે.

રાહુલ ગાંધીએ ટવિટ કરીને લખ્યુ કે ખેડૂતો બાદ હવે મોદી સરકારનો મજૂરો પર વાર. ગરીબોનુ શોષણ, 'મિત્રો'નું પોષણ.. આ જ છે બસ મોદીજીનુ શાસન. આ સાથે તેમણે એ ન્યૂઝ પેપરનુ કટિંગ શેર કર્યુ છે જેમાં છટણી સંબંધિત વાત કહેવામાં આવી છે. આ ઉપરાંત દેવામાફી મુદ્દે રાહુલ ગાંધીએ કહ્યુ કે કોંગ્રેસે જે કહ્યુ છે તે કર્યુ છે, ભાજપના બધા વચનો ખોટા છે.
શું છે નિયમ
ઔદ્યોગિક સંબંધ સંહિતા-2020 બિલ (Industrial Relations Code Bill 2020)માં ઉદ્યોગો અને પ્રાઈવેટ કંપનીઓ માટે તમામ જોગવાઈ છે. જે વાત પર સૌથી વધુ હોબાળો થયો છે તે એ છે કે હવે 300થી ઓછા કર્મચારીઓવાળી કંપનીઓ સરકારની મંજૂરી વિના જ્યારે મન પડે ત્યારે છટણી કરી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો Hire અને Fire માટે કંપનીઓને કોઈની મંજૂરી લેવાની જરૂર નથી.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
