લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતાં રાહુલે નેતાઓ અને મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી
નવી દિલ્હી, 27 ડિસેમ્બર: તાજેતરમાં જ વિધાનસભાની ચૂંટણી પોતાની પાર્ટીની ભૂંડી હાર બાદ પ્રથમ વખત કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ટોચના નેતાઓ અને કોંગ્રેસ શાસિત 12 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે રણનીતિક બેઠક કરી જેમાં પાર્ટીએ સંપૂર્ણ જુસ્સા સાથે ચૂંટણી મેદાનમાં ઉતરવાને લઇને જોર આપવામાં આવ્યું હતું.
આજે સવારે શરૂ થયેલી આ એક દિવસીય બેઠકમાં કોંગ્રેસના મુખ્યમંત્રીઓ અને વરિષ્ઠ નેતાઓની સો ટકા હાજરી રહી હતી જેમાં એ કે એંટની, સુશીલ કુમાર શિંદે, પી ચિંદમ્બરમ, અહેમદ પટેલ, જયરામ રમેશ, દિગ્વિજય સિંહ, જનાર્દન દ્રિવેદી, કપિલ સિબ્બલ અને કે બી થોમસે ભાગ લીધો હતો.
દિલ્હી અને રાજસ્થાનમાં સત્તા ગુમાવ્યા બાદ કોંગ્રેસ હાલમાં ફક્ત 12 રાજ્યોમાં બચી છે. જેમાં મણિપુર, મિઝોરમ, અસમ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ. હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, અરૂણાચલ પ્રદેશ, કેરલ અને મેધાલયનો સમાવેશ થાય છે.
તાજેતરમાં વિધાનસભાની ચૂંટણી મળેલી હારને ધ્યાનમાં રાખતાં પાર્ટી તે રાજ્યોમાં પોતાની પકડ બનાવવા માટે રણનિતી બનાવવા માટે ઇચ્છુક છે જ્યાં તે હાલમાં સત્તામાં છે. ચૂંટણીની રણનિતી તૈયાર કરવા માટે મુખ્યમંત્રીઓની આ બેઠક કોંગ્રેસના વોર રૂમના નામે પરિચિત 15 ગુરૂદ્વારા રકાબગંજમાં શરૂ થયેલી. બેઠકમાં લોકપાલ અને લોકાયુક્ત બિલને પારિત કર્યા બાદ પાર્ટીની આગળની રણનિતી પર ચર્ચા કરવામાં આવશે. મોંઘવારીના મુદ્દે અને તેના પર કાબૂ મેળવવા માટેના ઉપાયો અને સાથે જ ખાદ્ય સુરક્ષાના મુદ્દે વિસ્તાર પૂર્વક ચર્ચા થશે.

દિલ્હી, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોંઘવારીનો એક મુદ્દો જણાવતાં કહ્યું હતું કે બની શકે કે પાર્ટીની હાર પાછળ આ પણ એક કારણ હોય શકે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ભ્રષ્ટાચારના મુદ્દે પાર્ટીને મંચ પર અને સાથે જ સાર્વજનિક મંચ પર ઉપાડે છે. 21 ડિસેમ્બરના રોજ ફિક્કીના એક સંમેલનમાં તેમને કહ્યું હતું કે ભ્રષ્ટાચાર સૌથી મોટો મુદ્દો છે અને આ લોકોનું ખૂન ચૂસે છે.
મુખ્યમંત્રીઓની આ બેઠક કોંગ્રેસ મહાસમિતિની 17 જાન્યુઆરીના રોજ થનારી બેઠક પહેલાં થઇ રહી છે. મહાસમિતિની આ બેઠકમાં પાર્ટીની ભવિષ્યની રણનિતી પર ચર્ચા કરવામાં આવશે. મુખ્યમંત્રીઓ અને કેન્દ્રિય નેતાઓ ઉપરાંત આજની બેઠકમાં એઆઇસીસીના રાજ્યોના પ્રભારી મહાસચિવ પણ ભાગ લઇ રહ્યાં છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ








Click it and Unblock the Notifications
