ગઠબંધન માટે મજબૂત સીટોનું બલિદાન નહીં કરીએ: રાહુલ ગાંધી
તેલંગાણામાં વિધાનસભા ઇલેક્શનમાં મચેલી હલચલ વચ્ચે કોંગ્રેસ ઘ્વારા સ્ક્રીનિંગ કમિટીમાં મોટા બદલાવ કરવામાં આવ્યા છે.
તેલંગાણામાં વિધાનસભા ઇલેક્શનમાં મચેલી હલચલ વચ્ચે કોંગ્રેસ ઘ્વારા સ્ક્રીનિંગ કમિટીમાં મોટા બદલાવ કરવામાં આવ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેલંગાણા કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીમાં ત્રણ સદસ્યોના નામોને મજૂરી આપી છે. રાહુલ ગાંધીએ ભક્ત ચરણદાસને ચેરપર્શન સાથે જોથી મની સેનામલાઈ અને શર્મિષ્ટા મુખર્જી નામને સ્ક્રીનિંગ કમિટી સદસ્ય રૂપે મંજૂરી આપી છે. રાહુલ ગાંધીએ તેલંગાણા કોંગ્રેસ નેતાઓને એક મોટો સંદેશ પણ આપ્યો છે.
રાહુલ ગાંધી ઘ્વારા જણાવવામાં આવ્યું કે જે સીટો પર કોંગ્રેસ પાર્ટી મજબૂત છે તેવી સીટો તેઓ સહયોગીઓ માટે નહીં છોડે. સૂત્રો અનુસાર રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું છે કે મજબૂત સીટોનું ગઠબંધન માટે બલિદાન નહીં નહીં કરવામાં આવે. કોંગ્રેસ તેલંગાણામાં વિધાનસભા ચૂંટણીની રણનીતિ બનાવવામાં જોડાઈ ગઈ છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઘ્વારા પ્રદેશના નેતાઓ સાથે મુલાકાત પણ કરવામાં આવી છે.
આપને જણાવી દઈએ કે કેસીઆર ઘ્વારા તેલંગાણા વિધાનસભાને ભંગ કરવાની સિફારિશ કરવામાં આવી હતી. ત્યારપછી બધી જ પોલિટિકલ પાર્ટીઓ ઈલેક્શન રણનીતિ બનાવવામાં જોડાઈ ગઈ છે. ખબર એવી પણ આવી રહી છે કે કોંગ્રેસ તેલંગાણામાં ગઠબંધન અંગે સકારાત્મક દેખાઈ રહી છે પરંતુ તેના પર ખુલીને કોઈ પણ કોંગ્રેસ નેતા જણાવી રહ્યા નથી. એટલું જ નહીં પરંતુ એવી પણ ખબર આવી રહી છે કે તેલંગાણા કોંગ્રેસ ગઠબંધન કરવાના પક્ષમાં છે.