For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હું પીએમ મોદી જેવો નથી, જે ખોટું બોલીશ: રાહુલ ગાંધી

કેરળની વાયનાડ લોકસભા સીટથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બુધવારે થિરૃનેલ્લી મંદિર પહોંચ્યા હતા.

|
Google Oneindia Gujarati News

કેરળની વાયનાડ લોકસભા સીટથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બુધવારે થિરૃનેલ્લી મંદિર પહોંચ્યા હતા. રાહુલ ગાંધીએ આ મંદિરમાં લગભગ અડધા કલાક સુધી પૂજા કરી. તસ્વીરોમાં ધોતી-કુર્તા પહેરેલા રાહુલ ગાંધી મંદિરના પૂજારી સાથે જોવા મળી રહ્યા છે. તેમને આ મંદિરમાં વિધિ-વિધાન સાથે પૂજા કરી અને ત્યારપછી તેમને એક જનસભાને પણ સંબોધન કર્યું.

Rahul Gandhi

મંદિરમાં રાહુલ ગાંધીના પૂજા-પાઠ કરવા પર કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ગયા વખતે પણ તેઓ અહીં આવવા માંગતા હતા પરંતુ કેટલાક સુરક્ષા કારણોસર તેઓ અહીં આવી ના શક્યા. આ તે સ્થાન છે જ્યાં રાહુલ ગાંધીના પિતા અને પૂર્વ પ્રધાનમંત્રીની અસ્થિઓ વિસર્જિત કરવામાં આવી હતી. વર્ષ 1991 દરમિયાન રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી, ત્યારે રાહુલ ગાંધીએ આ મંદિર પાસે પવિત્ર નદીમાં તેમની અસ્થિઓ વિસર્જિત કરી હતી.

મંદિરમાં પૂજા પછી રાહુલ ગાંધીએ વાયનાડમાં ચૂંટણી સભાને સંબોધન કર્યું. અહીં રાહુલ ગાંધીએ પીએમ મોદી પર પ્રહાર કરતા કહ્યું કે હું પીએમ મોદી જેવો નથી, હું અહીં તમારી સામે ખોટું બોલવા નથી આવ્યો. રાહુલ ગાંધીએ કહ્યું કે હું તમારા જ્ઞાન અને સમજનું સમ્માન કરું છું. હાલમાં વાયનાડમાં રાહુલ ગાંધીનો આ બીજો પ્રવાસ છે. પહેલીવાર તેઓ લોકસભા ચૂંટણી માટે પોતાનું નોમિનેશન ફાઈલ કરવા માટે વાયનાડ આવ્યા હતા. રાહુલ ગાંધી આ વખતે અમેઠી અને વાયનાડ બંને લોકસભા સીટથી ચૂંટણી લડી રહ્યા છે.

English summary
Rahul Gandhi offers prayers at the Thirunelli temple in Wayanad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X