હું પીએમ મોદી જેવો નથી, જે ખોટું બોલીશ: રાહુલ ગાંધી
કેરળની વાયનાડ લોકસભા સીટથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બુધવારે થિરૃનેલ્લી મંદિર પહોંચ્યા હતા.
કેરળની વાયનાડ લોકસભા સીટથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બુધવારે થિરૃનેલ્લી મંદિર પહોંચ્યા હતા. રાહુલ ગાંધીએ આ મંદિરમાં લગભગ અડધા કલાક સુધી પૂજા કરી. તસ્વીરોમાં ધોતી-કુર્તા પહેરેલા રાહુલ ગાંધી મંદિરના પૂજારી સાથે જોવા મળી રહ્યા છે. તેમને આ મંદિરમાં વિધિ-વિધાન સાથે પૂજા કરી અને ત્યારપછી તેમને એક જનસભાને પણ સંબોધન કર્યું.
મંદિરમાં રાહુલ ગાંધીના પૂજા-પાઠ કરવા પર કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ગયા વખતે પણ તેઓ અહીં આવવા માંગતા હતા પરંતુ કેટલાક સુરક્ષા કારણોસર તેઓ અહીં આવી ના શક્યા. આ તે સ્થાન છે જ્યાં રાહુલ ગાંધીના પિતા અને પૂર્વ પ્રધાનમંત્રીની અસ્થિઓ વિસર્જિત કરવામાં આવી હતી. વર્ષ 1991 દરમિયાન રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી, ત્યારે રાહુલ ગાંધીએ આ મંદિર પાસે પવિત્ર નદીમાં તેમની અસ્થિઓ વિસર્જિત કરી હતી.
More visuals from Wayanad as Congress President Rahul Gandhi performs rituals, after offering prayers at the Thirunelli temple. #Kerala pic.twitter.com/MUzC1SpXU0
— ANI (@ANI) April 17, 2019
મંદિરમાં પૂજા પછી રાહુલ ગાંધીએ વાયનાડમાં ચૂંટણી સભાને સંબોધન કર્યું. અહીં રાહુલ ગાંધીએ પીએમ મોદી પર પ્રહાર કરતા કહ્યું કે હું પીએમ મોદી જેવો નથી, હું અહીં તમારી સામે ખોટું બોલવા નથી આવ્યો. રાહુલ ગાંધીએ કહ્યું કે હું તમારા જ્ઞાન અને સમજનું સમ્માન કરું છું. હાલમાં વાયનાડમાં રાહુલ ગાંધીનો આ બીજો પ્રવાસ છે. પહેલીવાર તેઓ લોકસભા ચૂંટણી માટે પોતાનું નોમિનેશન ફાઈલ કરવા માટે વાયનાડ આવ્યા હતા. રાહુલ ગાંધી આ વખતે અમેઠી અને વાયનાડ બંને લોકસભા સીટથી ચૂંટણી લડી રહ્યા છે.
Congress Pres Rahul Gandhi in Wayanad, Kerala: I'm not like PM of India, I'll not come here & lie to you because I respect your intelligence, wisdom & understanding. I don't want to have a relationship of couple of months with you, I want to have a life long relationship with you pic.twitter.com/lZRB5XjD0Z
— ANI (@ANI) April 17, 2019