Rahul gandhi On mohan Bhagwat : મોહન ભાગવતના આઝાદી નિવેદનની રાહુલ ગાંધીએ ટિકા કરી, જાણો શું કહ્યું?
Rahul gandhi On mohan Bhagwat : ભારતમાં આરએસએસ અને બીજેપીના બંધારણ અને આઝાદી મુદ્દે નિવેદનોનો રાહુલ ગાંધી સતત વિરોધ કરી રહ્યાં છે. હવે રાહુલ ગાંધીએ મોહન ભાગવતના આઝાદી નિવેદનની ફરીથી ટીકા કરી છે.
આરએસએસના નેતાઓના નિવેદનો વચ્ચે રાહુલ ગાંધી પટના બંધારણ સુરક્ષા પરિષદમાં હાજરી આપવા પહોંચ્યા હતા. પટનામાં રાહુલ ગાંધીને આવકારવા ઘણા પોસ્ટર લગાવાયા છે.

બીજી તરફ એક પોસ્ટરમાં દાવો કરવામાં આવ્યો છે કે રાહુલ ગાંધીના દાદા જવાહરલાલ નેહરુએ ભીમરાવ આંબેડકરને ચૂંટણી હરાવવામાં ભૂમિકા ભજવી હતી. આ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોહન ભાગવતના એક નિવેદન પર રાહુલ ગાંધીની પ્રતિક્રિયાને લઈને હોબાળો થઈ રહ્યો છે.
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પટનામાં બંધારણ સુરક્ષા પરિષદમાં બોલતા સંઘના વડા વિશેની પોતાની ટિપ્પણીની સ્પષ્ટતા કરી.
રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે ઇચ્છતા હતા કે જેમ ગંગાનું પાણી દરેક જગ્યાએ વહે છે, તેવી જ રીતે બંધારણની વિચારધારા પણ દરેક વ્યક્તિ સુધી પહોંચવી જોઈએ. જો આરએસએસના વડા મોહન ભાગવત કહી રહ્યા છે કે 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને આઝાદી મળી ન હતી, તો તે બંધારણને નકારી રહ્યાં છે. તે ભારતની દરેક સંસ્થામાંથી ડૉ. બી.આર. આંબેડકર, ભગવાન બુદ્ધ, મહાત્મા ગાંધીની વિચારધારાને ભૂંસી રહ્યા છે.
જણાવી દઈએ કે, શુક્રવારે આરએસએસ ચીફ મોહન ભાગવતે કહ્યું હતું કે 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને આઝાદી મળી ન હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં દેશની સંસ્થાઓને વાસ્તવિક સ્વતંત્રતા મળી છે.
-
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગરમી વચ્ચે માવઠાની આફત, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
ગેસ પુરવઠો ખોરવાતા મોરબી સિરામિક ઉદ્યોગમાં વેકેશનની જાહેરાત, આટલા દિવસ બંધ રહેશે -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત












Click it and Unblock the Notifications
