Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Rahul gandhi On mohan Bhagwat : મોહન ભાગવતના આઝાદી નિવેદનની રાહુલ ગાંધીએ ટિકા કરી, જાણો શું કહ્યું?

Rahul gandhi On mohan Bhagwat : ભારતમાં આરએસએસ અને બીજેપીના બંધારણ અને આઝાદી મુદ્દે નિવેદનોનો રાહુલ ગાંધી સતત વિરોધ કરી રહ્યાં છે. હવે રાહુલ ગાંધીએ મોહન ભાગવતના આઝાદી નિવેદનની ફરીથી ટીકા કરી છે.

આરએસએસના નેતાઓના નિવેદનો વચ્ચે રાહુલ ગાંધી પટના બંધારણ સુરક્ષા પરિષદમાં હાજરી આપવા પહોંચ્યા હતા. પટનામાં રાહુલ ગાંધીને આવકારવા ઘણા પોસ્ટર લગાવાયા છે.

Rahul gandhi On mohan Bhagwat

બીજી તરફ એક પોસ્ટરમાં દાવો કરવામાં આવ્યો છે કે રાહુલ ગાંધીના દાદા જવાહરલાલ નેહરુએ ભીમરાવ આંબેડકરને ચૂંટણી હરાવવામાં ભૂમિકા ભજવી હતી. આ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોહન ભાગવતના એક નિવેદન પર રાહુલ ગાંધીની પ્રતિક્રિયાને લઈને હોબાળો થઈ રહ્યો છે.

લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પટનામાં બંધારણ સુરક્ષા પરિષદમાં બોલતા સંઘના વડા વિશેની પોતાની ટિપ્પણીની સ્પષ્ટતા કરી.

રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે ઇચ્છતા હતા કે જેમ ગંગાનું પાણી દરેક જગ્યાએ વહે છે, તેવી જ રીતે બંધારણની વિચારધારા પણ દરેક વ્યક્તિ સુધી પહોંચવી જોઈએ. જો આરએસએસના વડા મોહન ભાગવત કહી રહ્યા છે કે 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને આઝાદી મળી ન હતી, તો તે બંધારણને નકારી રહ્યાં છે. તે ભારતની દરેક સંસ્થામાંથી ડૉ. બી.આર. આંબેડકર, ભગવાન બુદ્ધ, મહાત્મા ગાંધીની વિચારધારાને ભૂંસી રહ્યા છે.

જણાવી દઈએ કે, શુક્રવારે આરએસએસ ચીફ મોહન ભાગવતે કહ્યું હતું કે 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને આઝાદી મળી ન હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં દેશની સંસ્થાઓને વાસ્તવિક સ્વતંત્રતા મળી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X