અમે હજી પણ કહી રહ્યા છીએ, રાફેલ ડીલમાં કૌભાંડ થયુંઃ રાહુલ ગાંધી
અમે હજી પણ કહી રહ્યા છીએ, રાફેલ ડીલમાં કૌભાંડ થયુંઃ રાહુલ
નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ એ વાત પર ડટ્યા રહેશે કે રાફેલ ડીલ સાફ-સુથરી નથી, આમાં ભ્રષ્ટાચાર થયો છે. રાફેલ ડીલમાં તપાસની જરૂરતથી સુપ્રીમ કોર્ટે ઈનકાર કર્યા બાદ રાહુલ ગાધીએ આ વાત કહી. શુક્રવારે સાંજે દિલ્હીમાં પ્રેસ કોન્ફ્રેન્સ કરી રાહુલ ગાંધીએ કહ્યું કે જો આમાં બધું જ ઠીક હોય તો પીએમ મોદી જવાબ કેમ નથી આપતા.

રાહુલ ગાંધીએ કહ્યું કે અમારો સીધો સવાલ છે
રાહુલ ગાંધીએ કહ્યું કે અમારો સીધો સવાલ છે કે 526 કરોડ રૂપિયાના હવાઈ જહાજ 1600 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યું. 30,000 રૂપિયાના કૉન્ટ્રેક્ટ એચએએલથી કેમ છીવી લેવામાં આવ્યો, ભારતના યુવાનોથી રોજગાર કેમ છીનવી લેવામાં આવ્યું. રાહુલ ગાંધીએ કહ્યું કે જે દવિસે રાફેલ મામલાની તપાસ કરવામાં આવી એ દિવસે બે નામ નીકળશે એક અનિલ અંબાણી અને બીજું નરેન્દ્ર મોદી. આખો દેશ સમજે છે કે ચોકીદાર જ ચોર છે. અમે આ સાબિત કરીને રહેશું કે ભારતના પ્રધાનમંત્રી અનિલ અંબાણીના દોસ્ત છે અને તેમણે અનિલ અંબાણીને ચોરી કરાવી છે.

પીએસી રિપોર્ટ ક્યાં છે?
રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફ્રન્સમાં તીખા તેવર દેખાડતા કહ્યું કે, જ્યારે કોઈ જૂઠ બોલે છે તો ક્યાંકને ક્યાંક નીકળે છે. હવે સરકારને અમારે એ સમજાવવાનું છે કે પીએસી રિપોર્ટ ક્યાં છે. સુપ્રીમ કોર્ટના ફેસલામાં કહેવામાં આવ્યું કે રાફેલ હવાઈ જહાજની વિવરણ કૈગના રિપોર્ટમાં લખેલ છે અને તેને લોક લેખા સમિતિથી શેર કરવામાં આવ્યું છે. પરંતુ ખડગેજી પીએસીના અધ્યક્ષ છે અને એવો કોઈ રિપોર્ટ જોયો જ નથી.

રાહુલ ગાંધીએ સવાલ કર્યો
રાહુલ ગાંધીએ સવાલ કર્યો કે કેવી રીતે થઈ શકે છે કે પીએસી અધ્યક્ષના રિપોર્ટ નથી દેખાયો, લોક લેખા સમિતિના સભ્યોને આ રિપોર્ટ ન દેખાયો અને સુપ્રીમ કોર્ટને દેખાઈ ગયો. લગભગ અન્ય કોઈ પીએસી ચાલી રહી છે. લગભગ ફ્રાન્સના સંસદમાં ચાલી રહી છે. થઈ શકે છે કે મોદીજીએ પોતાની પીએસી પીએમઓમાં બેસીને રાખી છે.

કોર્ટની દેખરેખમાં તપાસ કરવાની માગણી
શુક્રવારે 36 રાફેલ ફાઈટર જેટ ખરીદી મામલાની કોર્ટની દેખરેખમાં તપાસ કરવાની માગણી કરતી અરજીને સુપ્રીમ કોર્ટે રદ કરી દીધી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાફેલ ડીલમાં કોઈ વિશેષ કમી નથી. કેન્દ્રના ફેસલા પર સવાલ ઉઠાવવો ઠીક નહી થાય. અદાલતના આ ફેસલા બાદ ભાજપે સતત રાહુલ ગાંધી અને કોંગ્રેસ પરના હુમલા તેજ કરી દીધા અને ેમણે રાફેલમાં જૂઠ ફેલવવાની વાત કહી માફી માંગવાની માગણી કરી. ભાજપનું કહેવું છે કે રાહુલ ગાંધીએ રાફેલને લઈ ભ્રમ ફેલાવ્યો છે.

કાર જેપીસી તપાસ કેમ નથી કરાવી રહી?
જ્યારે રાફેલ ડીલને ળઈને દાખલ કરવામાં આવેલ અરજી સુપ્રીમ કોર્ટે રદ કરી દીધી જેના પર કોંગ્રેસે કહ્યું કે રાફેલ ડીલની તપાસ માટે સુપ્રીમ કોર્ટ યોગ્ય મંચ નથી. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે આ ડીલમાં જો કંઈ છૂપાવવા જેવું નથી તો સરકાર જેપીસી તપાસ કેમ નથી કરાવી રહી.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
