Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આરએસએસના વિચારો અરબ દેશોના મુસ્લિમ બ્રધરહુડ જેવાઃ રાહુલ ગાંધી

જર્મની બાદ લંડન પહોંચેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપ અને આરએસએસ પર નિશાન સાધ્યુ છે.

જર્મની બાદ લંડન પહોંચેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપ અને આરએસએસ પર નિશાન સાધ્યુ છે. આરએસએસ પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યુ કે આરએસએસ ભારતની પ્રકૃતિને બદલવાની કોશિશ કરી રહ્યુ છે. અન્ય પક્ષોએ ભારતની સંસ્થાઓ પર કબ્જો કરવા માટે ક્યારેય હુમલો નથી કર્યો. આરએસએસના વિચારો આરબ દેશોના મુસ્લિમ બ્રધરહુડ જેવા છે. 1947 માં પશ્ચિમને ભારત પર ભરોસો નહોતો. પરંતુ ભારતે પશ્ચિમને ખોટુ સાબિત કરી દીધુ. અમને સફળતા એટલા માટે મળી કારણકે હજારો લોકોએ સંસ્થાઓનું નિર્માણ કર્યુ અને આ એ જ સંસ્થાઓ છે જેના પર આજે હુમલા થઈ રહ્યા છે.

નોટબંધીનો વિચાર આરએસએસમાંથી આવ્યો અને પ્રધાનમંત્રીના દિમાગમાં બેસાડી દેવામાં આવ્યો

નોટબંધીનો વિચાર આરએસએસમાંથી આવ્યો અને પ્રધાનમંત્રીના દિમાગમાં બેસાડી દેવામાં આવ્યો

રાહુલે કહ્યુ કે જો તમે દેશના ઢાંચાનું ઉંડાણ સમજો તો તમે સંતુલિત તાકાતનો ઉપયોગ કરશો. પરંતુ દેશમાં આવુ નથી થઈ રહ્યુ. નોટબંધીનો વિચાર નાણામંત્રી અને આરબીઆઈને નજરઅંદાજ કરીને સીધો આરએસએસમાંથી આવ્યો અને પ્રધાનમંત્રીના દિમાગમાં બેસાડી દેવામાં આવ્યો. રાહુલ ગાંધીને ડોકલામ વિશે સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યુ કે મારી પાસે આ અંગે વધુ વિગતો નથી. એટલા માટે હું તેના પર ટિપ્પણી નહિ કરુ. ડોકલામ કોઈ અલગ મુદ્દો નથી. આ એક બાદ એક બનતી ઘટનાઓનો હિસ્સો હતો, આ એક પ્રક્રિયા હતી. પ્રધાનમંત્રીજી ડોકલામને માત્ર એક ઘટના રુપ જુએ છે. જો તેમણે ધ્યાનથી આખી પ્રક્રિયાને જોઈ હોત તો તે તેને રોકી શકતા હતા. હકીકત એ છે કે ચીની આજે પણ ડોકલામમાં હાજર છે.

ભારતમાં પ્રધાનમંત્રી કાર્યાલય ઘણુ શક્તિશાળી છે

ભારતમાં પ્રધાનમંત્રી કાર્યાલય ઘણુ શક્તિશાળી છે

રાહુલ ગાંધીએ કહ્યુ કે ચીન પાસેથી આપણે એક વસ્તુ એ શીખી શકીએ કે સ્થાનિક સરકારો સિસ્ટમને કેવી રીતે ચલાવે છે. ભારતમાં પ્રધાનમંત્રી કાર્યાલય ઘણુ શક્તિશાળી છે. વેપારી જગતને પ્રધાનમંત્રી મોદીથી ઘણી આશા હતી. પરંતુ આજે ભારતના વેપાર જગત પર સીબીઆઈ, ઈડીનું ભારે દબાણ છે.

વિદેશમંત્રી વિઝા આપવામાં વ્યસ્ત

વિદેશમંત્રી વિઝા આપવામાં વ્યસ્ત

રાહુલ ગાંધીએ પીએમ મોદી પર સત્તાના કેન્દ્રીકરણનો પણ આરોપ લગાવ્યો. રાહુલે કહ્યુ કે છેલ્લા ચાર વર્ષોમાં મોટા સ્તરે સત્તાનું કેન્દ્રીકરણ થયુ છે. પીએમઓનો વિદેશ મંત્રાલયમાં હસ્તક્ષેપ છે. વિદેશ મંત્રી પાસે કોઈ કામ નથી એટલા માટે તે લોકોને વિઝા આપવામાં વ્યસ્ત છે. તેમણે કહ્યુ કે ભારતમાં ત્યારે જ વિકાસ થાય છે જ્યારે સત્તાનું વિકેન્દ્રીકરણ થાય છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X