રાહુલ પોતાની ભાષા પર લગામ રાખે, અડવાણી અમારા પિતા સમાનઃ સુષ્મા સ્વરાજ
રાહુલ ભાષા પર લગામ રાખે, અડવાણી અમારા પિતા સમાનઃ સુષ્મા
રાહુલ ગાંધીના અડવણીવાળા નિવેદન પર સુષ્મા સ્વરાજે ખરીખોટી સંભળાવી. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું કે રાહુલ ગાંધીએ તેમની ભાષાની મર્યાદાનો ખયાલ રાખવો જોઈએ. સુષ્મા સ્વરાજે આ ટિપ્પણી રાહુલ ગાંધીના એ નિવેદન પર કરી છે જેમાં તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ગુરુ લાલ કૃષ્ણ અડવાણીને જૂતાં મારી સ્ટેજ પરથી નીચે ઉતારી દીધા.

રાહુલે અડવાણી જી વિશે જાણો શું કહ્યું
સુષ્મા સ્વરાજ રાહુલ ગાંધીના આ નિવેદનથી ભારે પરેશાન થયાં છે. તેમણે શનિવારે હિન્દી અને અંગ્રેજીમાં ટ્વીટ કરતા કહ્યું કે રાહુલના નિવેદનથી તેઓ આહત થયાં છે અને તેમણે પોતાની ભાષાની મર્યાદાનો ખ્યાલ રાખવો જોઈએ. રાહુલ ગાંધીના નિવેદન બાદ ભાજપના કોઈપણ મોટા નેતાની આ પહેલી સત્તાવાર પ્રતિક્રિયા છે.

સુષ્મા સ્વરાજ ભડકયાં
સુષ્મા સ્વરાજે ટ્વીટ કર્યું કે, રાહુલ જી- અડવાણીજી અમારા પિતા સમાન છે. તમારા નિવેદને અમને પરેશાન કર્યા છે. કૃપિયા ભાષાી મર્યાદા રાખવાની કોશિશ કરો. જણાવી દઈએ કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે પીએમ નરેન્દ્ર મોદી પર મોટો આરોપ લગાવતા કહ્યું હતું કે નરેન્દ્ર મોદી જ્યાં પણ જાય છે ત્યાં કોઈકનું તો ખરાબ બોલે જ છે. રાહુલે કહ્યું કે મોદીજીના ગુરુ કોણ છે? અડવાણી જી. શિષ્ય ગુરુની સામે હાથ પણ નથી જોડતો. સ્ટે પરથી ઉઠાવીને ફેંકી દીધા અડવાણીજીને. જૂતા મારીને અડવાણીજીને સ્ટેજ પરથી નીચે ઉતારી દીધા અને હિંદુ ધર્મની વાત કરે છે. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે હિંદુ ધર્મમાં ક્યાં લખ્યું કે લોકોને મારવા જોઈએ.

અડવાણીએ લખ્યો હતો બ્લોગ
જણાવી દઈએ કે લાલકૃષ્ણ અડવાણીને આ વખતે ભાજપના નેતૃત્વએ ટિકિટ નથી આપી. કેટલાય વર્ષોથી ગુજરાતની ગાંધીનગર સીટ પરથી લોકસભા ચૂંટણી લડતા એલકે અડવાણી આ વખતે લોકસભા ચૂંટણીમાં ચુપચાપ છે. લાંબા દિવસો બાદ ચુપ્પી તોડતા ગુરુવારે ભાજપના વરિષ્ઠ નેતા એલ કે અડવાણીએ પોતાના બ્લોગમાં પીએમ મોદી પર અપ્રત્યક્ષ રૂપે નિશાન સાધ્યું હતું. પાર્ટીની સ્થાપના દિવસથી બે દિવસ પહેલા અડવાણીએ પોતાના બ્લોગમાં લખ્યું હતું કે દેશના લોકતંત્રનો સાર અભિવ્યક્તિનું સન્માન અને તેની વિવિધતા છે. અમારા વિચારોથી અલગ હોય તેમને અમે ક્યારે શત્રુ નથી માન્યા, બલકે અમે તેમને અમારા વિરોધી માન્યા છે. આવી જ રીતે ભારતીય રાષ્ટ્રવાદની અમારી અવધારણામાં અમારાથી અસહમત હોય તેમને અમે ક્યારેય પણ રાષ્ટ્ર વિરોધી નથી કહ્યા. અડવાણીએ લખ્યું કે તેમના માટે દેશ સૌથી પહેલા છે, તે બાદ પાર્ટી અને આખરે સ્વયંનું હિત આવે છે. જણાવી દઈએ કે અડવાણી ઉપરાંત આ વખતે મુરલી મનોહર જોશી, સુષ્મા સ્વરાજ, ઉમા ભારતી, સુમિત્રા મહાજન પણ ચૂંટણી નથી લડી રહ્યા.
-
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો







Click it and Unblock the Notifications
