Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભારતીય રેલવેનો વિસ્તાર વધ્યો પણ કર્મચારીઓ ઘટ્યા

indian-railway
નવી દિલ્હી, 11 માર્ચ : ભારતીય રેલવેનો વિસ્તાર-વ્યાપ વધી રહ્યો હોવાનું જાણીને કોઇ પણ ભારતીયને ગર્વ થાય તેમાં કોઇ શક નથી. બીજી તરફ જ્યારે એમ જણાવવામાં આવે કે તેનો નિયમીત કર્મચારીઓની સંખ્યામાં વાર્ષિક 18,000ના દરે ઘટાડો થઇ રહ્યો છે ત્યારે તમને
આંચકો લાગ્યા વિના ન રહે એ વાત પણ નક્કી છે. આજે પણ હકીકત છે કે ભારતીય રેલવે દેશમાં સૌથી વધારે રોજગારી પ્રદાન કરતું એકમ છે. જો કે છેલ્લા બે દાયકામાં તેનો વ્યાપ વધવા છતાં કર્મચારીઓની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે.

ભારતીય રેલવે સ્ટેટેસ્ટિક્સ સ્ટેટમેન્ટ 2011-12 અને યરબૂકનાં આંકડા આ બાબતના પુરાવા છે.

SerialNo.

Year:As onMarch 31

RouteLength Kms

Running TrackLength Kms

RegularEmployees

1.

1991

62,367

78,607

16,54,985

2.

1996

62,915

-

15,89,646

3.

2001

63,028

81,865

15,49,385

4.

2006

63,332

84,370

14,16,121

5.

2011

64,460

87,114

13,32,204

6.

2012

64,600

89,801

13,05,701

SerialNo.

Year:As onMarch 31

Administration

Engineering

MechanicalEngineering

1.

2007

47,179

3,44,825

3,27,270

2.

2008

47,062

3,37,990

3,29,173

3.

2009

47,062

3,37,348

3,20,195

4.

2010

45,873

3,27,638

3,20,995

5.

2011

44,814

3,10,168

3,14,867

6.

2012

50,036

2,92,832

3,04,804

છેલ્લા 21 વર્ષની વાત કરીએ તો ભારતીય રેલવેમાં કર્મચારીઓની સંખ્યા 3,49,130 જેટલી ઘટી છે. એટલે કે દર વર્ષે 16,000થી વધારે કર્મચારીઓ ઘટી રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષમાં કર્મચારીઓની સંખ્યા ઘટવાનું પ્રમાણ વાર્ષિક 25,000 જેટલું પહોંચી ગયું છે. આ અંકડા રેલવેના જાહેર દસ્તાવેજો જેવા કે વાર્ષિક અહેવાલો, આંકડાકીય નિવેદનો અને યર બુકમાં આપવામાં આવ્યા છે. આ અંગે સંસદમાં રેલવે મંત્રીને જ્યારે પણ પ્રશ્ન પૂછવામાં આવ્યા છે ત્યારે તેમણે સ્પષ્ટતાઓ ટાળી છે.

મંત્રાલયે આપેલે ખુલાસામાં કહેવામાં આવ્યું છે કે રેલવે જેવા મોટા એકમમાં એક સમયે વધારે સંખ્યામાં રોજગારીની તકો રહેલી હતી. આ નોકરીઓ સામાન્ય નિવૃત્તિ, સ્વૈચ્છિક નિવૃત્તિ, મૃત્યુ, બઢતી, નવી નોકરીઓ બહાર પડવી વગેરે કારણે ઉભી થઇ હતી. જો કે માનવબળ ઘટવાને કારણે રેલવે તંત્રના સંચાલનમાં તકલીફ ઉભી થઇ હોવનો તેમણે ઇનકાર કર્યો હતો.

પૂર્વ રેલવે મંત્રી દિનેશ ત્રિવેદીએ તેમના કાર્યકાળમાં કબૂલ કર્યું હતું કે માનવબળ ઘટાડા અને રેલવેની કાર્યદક્ષતા વચ્ચે સીધો સંબંધ છે. તેમણે 14 માર્ચ, 2012ના રોજ પોતાના રેલવે બજેટ સંબોધનમાં કહ્યું હતું કે રેલવેમાં વિવિઘ કેટેગરીમાં જગ્યાઓ ખાલી છે. જેના કરાણે તેના પરફોર્મન્સ પર અસર પડી રહી છે. આ મુશ્કેલી નીવારવા માટે 80,000 કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X