આભ ફાટતા કેદારનાથ ધોવાયું, હજારો લોકો હજી ફસાયા
નવી દિલ્હી, 19 જૂન : ગંગા પોતાના વિકરાળ રૂપમાં છે. પહાડ પર પ્રલયના કારણે હાહાકાર મચી જવા પામ્યો છે. કૂદરતનો કહેર હજી પણ અહીં જારી છે. માત્ર ઉત્તરાખંડમાં અત્યારસુધી મરનારાઓની સંખ્યા 100 ને પાર થઇ ગઇ છે. અનુમાન લગાવવામાં આવે છે કે લગભગ 71000 જેટલા લોકો હજી પણ ફંસાયેલા છે.
જ્યારે માત્ર કેદારનાથની વાત કરીએ તો એક હજારથી વધારે લોકો હજી પણ ગૂમ છે. માત્ર કેદારનાથમાં 50થી વધારે લોકોના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે મંદિર પ્રાંગણમાંથી બે દિવસથી ફંસાયેલા 500 તીર્થયાત્રીઓ ગૂમ છે.
ભારે વરસાદ અને આભ ફાટવાના કારણે કેદારનાથમાં મંદિરને છોડીને બાકી બધું જ ખતમ થઇ ગયું છે. રામબાડાનું તો નામો નિશાન મટી જવા પામ્યું છે. સોનપ્રયાગ પણ પાણીમાં વિલીન થઇ ગયું છે. ગૌરીકુંડનો મોટો ભાગ પાણીમાં ધોવાઇ ગયો છે. વાદળ ફાટવાના કારણે દરેક જગ્યાએ કાદવ કિચડ ભરાઇ ગયું છે.
જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ સ્થિતિ ખરાબ છે. પૂરના કારણે રાહત અને બચાવકાર્યમાં મુશ્કેલીઓ આવી રહી છે. સેના એરફોર્સ અને પેરામિલેટ્રી ફોર્સના લગભગ 5 હજાર જવાનો અને 22 હેલીકોપ્ટરોને રાહત અને બચાવના કામમાં લગાવ્યા છે. ઉત્તરાખંડની હાલતને જોતા આજે પ્રધાનમંત્રી પણ ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી પરિસ્થિતિ અંગેનું નિરિક્ષણ કરશે.
કેદારનાથ
માત્ર કેદારનાથની વાત કરીએ તો એક હજારથી વધારે લોકો હજી પણ ગૂમ છે.
કેદારનાથ
માત્ર કેદારનાથની વાત કરીએ તો એક હજારથી વધારે લોકો હજી પણ ગૂમ છે. માત્ર કેદારનાથમાં 50થી વધારે લોકોના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે મંદિર પ્રાંગણમાંથી બે દિવસથી ફંસાયેલા 500 તીર્થયાત્રીઓ ગૂમ છે.
ઉત્તરાખંડ
ઉત્તરાખંડમાં પૂર અને ભૂસ્ખલનથી ભારે તબાહી મચી છે. મળતી માહિતી મુજબ કેદારનાથનો મોટાભાગનો હિસ્સો તબાહ થઇ ગયો છે.
ઉત્તરાખંડ
ગંગા પોતાના વિકરાળ રૂપમાં છે. પહાડ પર પ્રલયના કારણે હાહાકાર મચી જવા પામ્યો છે. કૂદરતનો કહેર હજી પણ અહીં જારી છે
ઉત્તરાખંડ
ઉત્તરાખંડમાં અત્યારસુધી મરનારાઓની સંખ્યા 100 ને પાર થઇ ગઇ છે. અનુમાન લગાવવામાં આવે છે કે લગભગ 71000 જેટલા લોકો હજી પણ ફંસાયેલા છે.
ઉત્તરાખંડ
માત્ર કેદારનાથની વાત કરીએ તો એક હજારથી વધારે લોકો હજી પણ ગૂમ છે. માત્ર કેદારનાથમાં 50થી વધારે લોકોના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે મંદિર પ્રાંગણમાંથી બે દિવસથી ફંસાયેલા 500 તીર્થયાત્રીઓ ગૂમ છે.
ઉત્તરાખંડ
ભારે વરસાદ અને આભ ફાટવાના કારણે કેદારનાથમાં મંદિરને છોડીને બાકી બધું જ ખતમ થઇ ગયું છે. રામબાડાનું તો નામો નિશાન મટી જવા પામ્યું છે.