For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજની અજીતને ખુલ્લી ધમકી, પોતાના પગ પર પાછા નહી જઇ શકે

|
Google Oneindia Gujarati News

raj thackeray
મુંબઇ, 3 માર્ચ: અહમદનગરમાં પોતાની ગાડી પર પત્થરમારો થયા બાદ થયેલી બબાલને લઇને એમએનએસના પ્રમુખ રાજ ઠાકરેએ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજીત પવારને ખુલ્લી ધમકી આપી છે. રાજ ઠાકરેએ માત્ર પોતાના કાર્યકર્તાઓની હિંસાનો સપોર્ટ ના કર્યો પરંતુ તેમણે અજીત પવારને ધમકી પણ આપી. ઠાકરેએ જણાવ્યું કે જો અજીત પવાર પોલીસ પ્રોટોકોલ હટાવી લે તો પોતના પગ પર ચાલીને નહીં જઇ શકે.

શનિવારે મહારાષ્ટ્રના જાલનાથી એમએનએસ પ્રમુખ રાજ ઠાકરેએ ઉપ મુખ્યમંત્રી અજીત પવારને ધમકી આપતા જણાવ્યું કે પત્થરમારો તેમની તરફથી પણ થઇ શકે છે. રાજ ઠાકરેએ અજીત પવાર પર પ્રહાર કરતા જણાવ્યું કે મહારાષ્ટ્રમાં દુકાળની સ્થિતિ માટે એનસીપી જવાબદાર છે અને તેના માટે લોકો અજીત પવારને ઘરમાં ઘુસીને મારશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે રાજ ઠાકરે અને અજીત પવાર વચ્ચે ભાષણબાજી બાદ મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં હિંસા ફાટી નીકળી હતી. શરૂઆત રાજ ઠાકરેના કાફલા પર પત્થરમારા સાથે થઇ. જેનો આરોપ એનસીપી કાર્યકાર્તાઓ પર લાગ્યો હતો. જેના પગલે રાજ ઠાકરેએ જાલનાની રેલીમાં એનસીપી પર સીધા પ્રહાર કર્યા અને જણાવ્યું કે દુકાળગ્રસ્ત જાલનાની દુર્દશા માટે એનસીપી જવાબદાર છે.

English summary
Raj Thackeray dares Ajit Pawar, says he is ready to take him on.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X