Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સાવરકર પર વિવાદીત રાહુલ ગાંધીના નિવેદનને લઇ ભડક્યા રાજ ઠાકરે, બોલ્યા- યુ ઇડિયટ...

સાવરકરને લઈને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના નિવેદન પર રાજકારણ ગરમાયું છે. આ મામલે ભારતીય જનતા પાર્ટીની તીખી પ્રતિક્રિયા બાદ હવે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ પણ રાહુલ ગાંધી પર જોરદાર પ્રહારો કર્યા છે. રવ

સાવરકરને લઈને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના નિવેદન પર રાજકારણ ગરમાયું છે. આ મામલે ભારતીય જનતા પાર્ટીની તીખી પ્રતિક્રિયા બાદ હવે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ પણ રાહુલ ગાંધી પર જોરદાર પ્રહારો કર્યા છે. રવિવારે એક રેલીમાં રાહુલ ગાંધી પર નિશાન સાધતા રાજ ઠાકરેએ કહ્યું, "યુ ઇડિયટ... સાવરકર વિશે તમે કઈ ક્ષમતામાં નિવેદનો આપી રહ્યા છો, જેમને જેલમાં રહીને ઘણી યાતનાઓનો સામનો કરવો પડ્યો હતો."

 રાહુલ પાસે એટલી બુદ્ધી નથી કે તેઓ સાવરકરને સમજી શકે

રાહુલ પાસે એટલી બુદ્ધી નથી કે તેઓ સાવરકરને સમજી શકે

તમને જણાવી દઈએ કે હાલમાં જ રાહુલ ગાંધીએ સાવરકર દ્વારા લખેલા પત્રને ટાંકીને દાવો કર્યો હતો કે જેલમાંથી મુક્ત થવા માટે તેમણે બ્રિટિશ સરકારની માફી માંગી છે. આ નિવેદન અંગે રાજ ઠાકરેએ કહ્યું, 'રાહુલ ગાંધી પાસે એ સમજવાની બુદ્ધિ નથી કે સાવરકરનો પત્ર તેમની રણનીતિનો એક ભાગ હતો. તેને અંગ્રેજોની શરણાગતિ કેવી રીતે કહી શકાય.

ક્યા સુધી આ ચાલતુ રહેશે?

ક્યા સુધી આ ચાલતુ રહેશે?

રાજ ઠાકરે રવિવારે પાર્ટી કાર્યકર્તાઓની એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા, જેમાં તેમણે રાહુલ ગાંધી અને મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશિયારી પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે આ બંને આપણા રાષ્ટ્રીય નાયકોનું અપમાન કરી રહ્યા છે. રાજ ઠાકરેએ કહ્યું, 'રાહુલ ગાંધી સાવરકર પર નિવેદન આપશે, ભારતીય જનતા પાર્ટી નેહરુ પર નિવેદન આપશે, પછી કોઈ અન્ય રાષ્ટ્રીય નાયક પર નિવેદન કરશે, ક્યાં સુધી આવું ચાલશે. આપણા દરેક રાષ્ટ્રીય નાયકોની સકારાત્મક અને નકારાત્મક બાજુ હોય છે, પરંતુ તેમની નકારાત્મક બાજુઓને આ રીતે રજૂ કરવાની શું જરૂર છે, શું તેનાથી કોઈ ફાયદો થશે?'

ભગત સિંહ કોશ્યારી પર પણ કર્યા પ્રહાર

ભગત સિંહ કોશ્યારી પર પણ કર્યા પ્રહાર

રાજ ઠાકરેએ વધુમાં કહ્યું કે, 'ભાજપ સતત પંડિત જવાહરલાલ નેહરુનું અપમાન કરી રહ્યું છે, આવું ન થવું જોઈએ. આજે દેશ અન્ય ઘણી મહત્વની સમસ્યાઓ સાથે ઝઝૂમી રહ્યો છે, તેમની વાત થવી જોઈએ. દેશની આઝાદી માટે બલિદાન આપનાર મહાપુરુષોની ટીકા કરવાથી તમને કોઈ ફાયદો નહીં થાય. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યરી કહે છે કે જો ગુજરાતીઓ અને મારવાડીઓ મુંબઈ છોડી દેશે તો તે હવે આર્થિક રાજધાની નહીં રહે. જો એવું છે તો આ લોકો શા માટે તેમના રાજ્યમાં પાછા નથી આવતા. પરંતુ, આ લોકો મુંબઈ નહીં છોડે, કારણ કે મુંબઈ તેમને બિઝનેસ માટે ઉત્તમ વાતાવરણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X