રાજ ઠાકરેએ કહ્યું: બાળા સાહેબને વાસી વડાપાઉં ખવડાવતા હતા ઉદ્ધવ
મુંબઇ, 3 એપ્રિલ: બાળા સાહેબ ઠાકરેની આત્માને આજે જરૂર ઠેસ પહોંચી હશે જ્યરે પારિવારિક ઝઘડાને તેમના પુત્ર અને ભત્રીજા સાર્વજનિક મંચ પર લઇ આવ્યા. ગુરૂવારે ફરી એકવાર ઠાકરે પરિવારમાં ખેંચતાણના લીધે રાજ અને ઉદ્ધવ વચ્ચે વાકયુદ્ધ છેડાઇ ગયું. રાજ ઠાકરે ઉદ્ધવ પર આરોપ લગાવતાં કહ્યું હતું કે બાળા સાહેબ જ્યારે લીલાવતી હોસ્પિટલમાં ભરતી હતા ત્યારે ઉદ્ધવ ઠાકરે વાસી વડાપાઉં ખાવા આપતા હતા. જ્યારે રાજ ઠાકરેએ આ મુદ્દે સ્વંયને સારા ગણાવતાં કહ્યું હતું કે તે પોતાના ઘરથી બાળા સાહેબ માટે ચિકન સૂપ મોકલતાં હતા.
રાજ ઠાકરેનું કહેવું ક્યારેય અતિશ્યોક્તિ નહી હોય કે ઠાકરે પરિવાર આ વાકયુદ્ધ ફક્ત લોકસભા ચૂંટણી નજીક આવવા લીધે શરૂ કર્યું છે. જો કે અત્યાર સુધી આ યુદ્ધમાં રાજ ઠાકરેએ ઉદ્ધવને આકરો જવાબ આપ્યો છે. રાજ ઠાકરેએ એમપણ કહ્યું હતું કે જો ઉદ્ધવ ઠાકરે ખોટી નિવેદનબાજી કરવાનું બંધ નહી કરે તો તેમને પણ મોઢું ખોલવું પડશે.

મુંબઇમાં બહારથી આવનાર લોકો પર ફરી એકવાર નિશાન સાધતાં રાજ ઠાકરેએ કહ્યું હતું કે મુંબઇમાં 48 ટ્રેનો બહારન શહેરોમાંથી પ્રવેશ કરે છે પરંતુ અહીંની સરકારને એ ખબર નથી પડતી કે કોણ આવી રહ્યું છે અને કોણ જઇ રહ્યું છે? આ મુદ્દાનું એક જ્વલંત ઉદાહરણ આપતાં રાજ ઠાકરેએ પણ કહ્યું કે જ્યારે ગોવામાં બિહાર માટે ટ્રેન સેવા શરૂ કરવામાં આવી હતી તો ત્યાંના મુખ્યમંત્રીએ આ વાતનો આકરો વિરોધ કર્યો હતો. અંતત: રાજ ઠાકરેએ પોતાની વાતને એમ કહીને વિરામ આપી દિધો કે તે ગદ્દાર નથી.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
