Rajsthan : મુખ્યમંત્રીની રેસમાંથી બહાર થયા બાબા બાલકનાથ? જાણો કેમ?
ત્રણ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ પણ બીજેપી મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી શકી નથી. આ સ્થિતીમાં રાજસ્થાનમાં કેટલીક ઉથલપાથલ જોવા મળી રહી છે.
રાજસ્થાનમાં બીજેપી કોને મુખ્યમંત્રી બનાવશે તેના પર સસ્પેન્સ યથાવત છે. સૌથી પ્રખ્યાત ચહેરાઓમાં બાબા બાલકનાથનું નામ છે, જેમને રાજસ્થાનના યોગી પણ કહેવામાં આવે છે. જો કે, હવે તે મુખ્યમંત્રી પદની રેસમાં ન હોવાના અહેવાલ આવી રહ્યા છે.

2019માં બીજેપીની ટિકિટ પર અલવર લોકસભામાંથી સાંસદ તરીકે ચૂંટાયેલા બાલકનાથે સોશિયલ મીડિયા પર લખ્યું કે, પાર્ટી અને વડાપ્રધાને મને તક આપી. ચૂંટણીના પરિણામો આવ્યા બાદ મીડિયા અને સોશિયલ મીડિયામાં ચાલી રહેલી ચર્ચાઓને અવગણો. હજુ પણ વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ અનુભવ મેળવવાનો બાકી છે.
બાબા બાલકનાથ 2019માં બીજેપીની ટિકિટ પર અલવર લોકસભા મતવિસ્તારમાંથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. આ વખતે પાર્ટીએ તેમને જિલ્લાની તિજારા બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી માટે ટિકિટ આપી હતી.
Baba Balaknathતેમણે કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન ખાનને હરાવીને જીત નોંધાવી હતી. જે બાદ તેમણે સાંસદ પદેથી રાજીનામું આપી દીધું અને રાજ્યના મુખ્યપ્રધાનની રેસમાં તેમનું નામ ચાલી રહ્યું છે. બાલકનાથ એ જ નાથ સંપ્રદાયના સંત છે જે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના છે.












Click it and Unblock the Notifications
