રાજસ્થાનઃ કોંગ્રેસ ધારાસભ્ય ગજેન્દ્ર સિંહ શેખાવતનુ ઇલાજ દરમિયાન દિલ્લીમાં નિધન
રાજસ્થાન(Rajasthan)ના ઉદયપુર (Udaipur)થી એક દુઃખદ સમાચાર છે.
Gajendra Singh Shaktawat News, ઉદયપુરઃ રાજસ્થાન(Rajasthan)ના ઉદયપુર (Udaipur)થી એક દુઃખદ સમાચાર છે. અહીં કોંગ્રેસ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ શેખાવત(Gajendra Singh Shaktawat)નુ નિધન થઈ ગયુ. ગજેન્દ્ર સિંહ શેખાવત છેલ્લા 37 દિવસથી દિલ્લીની આઈએલબીએસ હોસ્પિટલમાં ભરતી હતા જ્યાં તેમનુ બુધવારે નિધન થઈ ગયુ. જણાવવામાં આવી રહ્યુ છે કે તેમને લિવર પ્રોબ્લેમ થવા પર દિલ્લીની હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમને કોરોના સંક્રમણ પણ થઈ ગયુ હતુ. જેના થોડા દિવસ બાદ તેમનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો.

ગજેન્દ્ર સિંહ શેખાવત ઉદયપુરની વલ્લભનગર વિધાનસભા સીટથી ધારાસભ્ય બન્યા હતા. આ પહેલા ગજેન્દ્ર સિંહ 2008માં કોંગ્રેસ પાર્ટીની ટિકિટ પર વલ્લભનગર વિધાનસભા સીટથી જીતીને વિધાનસભા પહોંચ્યા હતા. ત્યારબાદ પાર્ટીએ તેમને સંસદીય સચિવની પણ જવાબદારી સોંપી હતી. બુધવારે (20 જાન્યુઆરી)એ સવારે જ્યારે ગજેન્દ્રસિંહના નિધનના સમાચાર લોકોને મળ્યા તો તેમના સમર્થકોમાં શોકની લહેર દોડી ગઈ.
શેખાવતના નિધન પર સીએમ અશોક ગહેલોતે(Ashok Gehlot)શોક વ્યક્ત કર્યો છે. સીએમે પોતાના ટ્વિટમાં ઈશ્વરને શોકાતુર પરિવારજનોને આ ખૂબ જ કઠોર સમયમાં સાંત્વના આપવા અને દિવંગત આત્માને શાંતિ પ્રદાન કરવાની પ્રાર્થના કરી છે. સીએમ ગહેલોતે કહ્યુ કે મારી ગાઢ સંવેદનાઓ. ઘણા સમયથ તેઓ બિમાર હતા, તેમના આરોગ્ય વિશે છેલ્લા 15 દિવસથી પરિવારજન અને ડૉક્ટર શિવ સરીનના સંપર્કમાં હતા. આ તરફ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટસરાએ કહ્યુ કે વલ્લભનગરથી કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવતના નિધનના દુઃખદ સમાચાર મળ્યા. ઈશ્વરને દિવંગતના આત્માને શાંતિ પ્રદાન કરવા અને તેમના પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ પ્રદાન કરવાની પ્રાર્થના કરુ છુ.
પૂર્વ ઉપમુખ્યમંત્રી સચિન પાયલટે પણ ગજેન્દ્ર સિંહ શેખાવતના નિધન પર ઉંડુ દુઃખ વ્યક્ત કર્યુ છે. તેમણે ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ આપી છે. સચિન પાયલટે શેખાવતના અસામયિક નિધન પર ઉંડી સંવેદનાઓ વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ કે ગજેન્દ્ર સિંહ શેખાવત સચિન પાયલટ જૂથના ખાસ નેતા માનવામાં આવતા હતા. રાજકીય ઘટનાક્રમમાં શેખાવતે સચિન પાયલટનો સાથ આપ્યો હતો.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?








Click it and Unblock the Notifications
