Rajasthan Opinion Poll: રાજસ્થાનમાં ભાજપ 125 સીટો પર જીતશે, જાણો કોંગ્રેસને કેટલી મળશે?
Rajasthan Opinion Poll: રાજસ્થાનમાં આ વખતે કોની સરકાર બનશે? શું અશોક ગેહલોતનો જાદુ ફરી વાર ચાલશે કે રાજસ્થાન તેની સત્તા બદલવાની પરંપરા ચાલુ રાખશે? જો ભાજપની સરકાર બનશે તો મુખ્યમંત્રી કોણ બનશે?
દરેકના મનમાં આ સવાલો ઉઠી રહ્યા છે પરંતુ તેના જવાબ 3 ડિસેમ્બર પહેલા નહિ મળે. જો કે, હાલમાં એક ઓપિનિયન પોલ સામે આવ્યો છે જેના આંકડા કોંગ્રેસ અને ભાજપ સહિત રાજસ્થાનના મતદારો માટે ચોંકાવનારા છે.

ઇન્ડિયા ટીવી-સીએનએક્સ ઓપિનિયન પોલમાં દાવો કરવામાં આવ્યો છે કે આવતા મહિને યોજાનારી રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પૂર્ણ બહુમતી મેળવીને સરકાર બનાવી શકે છે. ઓપિનિયન પોલ અનુસાર 200 સીટોવાળી રાજસ્થાન વિધાનસભામાં ભાજપને 125 સીટો મળવાની ધારણા છે. તમને જણાવી દઈએ કે પાંચ વર્ષ પહેલા 2018માં ભાજપને માત્ર 73 સીટો મળી હતી.
ઓપિનિયન પોલના પરિણામોમાં કોંગ્રેસને મોટું નુકસાન થઈ રહ્યું હોવાનું જણાય છે. સર્વે અનુસાર ગત વિધાનસભા ચૂંટણીમાં 100 સીટો જીતનાર કોંગ્રેસ આ વખતે માત્ર 72 સીટો પર જ સમેટાઈ શકે છે. આ સિવાય ત્રણ બેઠકો અન્ય પક્ષો અને અપક્ષોને જઈ શકે છે. 2018ની વિધાનસભા ચૂંટણીમાં 27 બેઠકો અન્ય પક્ષો અને અપક્ષોને ગઈ હતી.
જો વોટ શેરની વાત કરીએ તો રાજસ્થાનમાં ભાજપનો વોટ શેર 44.92 ટકા હોવાનું જણાય છે. કોંગ્રેસને 40.08 ટકા વોટ શેર અને અન્ય પાર્ટીઓને 15 ટકા વોટ શેર મળી શકે છે. તમને એ પણ જણાવી દઈએ કે 2018ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 38.77 ટકા વોટ શેર અને કોંગ્રેસને 39.3 ટકા વોટ શેર મળ્યા હતા. 21.93 વોટ શેર અન્યના ખાતામાં ગયા હતા.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા











Click it and Unblock the Notifications
