Rajasthan Political Crisis : ભાજપના ધારાસભ્યની પાયલટને સલાહ, લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા ન જવાય
રાજસ્થાનમાં રાજકીય સંકટ અને કોંગ્રસના આંતરીક વિખવાદને વચ્ચે ભાજપના એક ધારાસભ્યએ મોટું નિવેદન આપ્યું છે. ભાજપના ધારાસભ્ય કાલિચરણ સરાફ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમારા દરવાજા હંમેશા ખુલ્લા છે.
રાજસ્થાનમાં રાજકીય સંકટ અને કોંગ્રસના આંતરીક વિખવાદને વચ્ચે ભાજપના એક ધારાસભ્યએ મોટું નિવેદન આપ્યું છે. ભાજપના ધારાસભ્ય કાલિચરણ સરાફ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમારા દરવાજા હંમેશા ખુલ્લા છે, જો કોંગ્રેસની સરકાર પડે છે, અથવા સરકાર પાડવામાં ભાજપની મદદ કરે છે તો આવા વ્યક્તિને ભાજપ મદદ કરશે.
ભાજપના ધારાસભ્ય કાલિચરણ સરાફે જણાવ્યું હતું કે, કોંગ્રેસના આ ડ્રામામાં ભાજપનો કોઇ રોલ નથી. આ તેમનો આંતરીક વિવાદ છે. જોકે, લક્ષ્મી ચાંદલો કરવા આવે તો, મોઢું ધોવા ન જવું જોઇએ. તેમણે આ વાત દ્વારા ઇશારા ઇશારામાં સચિન પાયલટને ઓફર આપી છે.

એક ડૂબતું જહાજ છે કોંગ્રેસ
માલવીયા નગર સરાફ બેઠક પરથી ભાજપ ધારાસભ્યએ કોંગ્રેસની વર્તમાન સ્થિતિ પર આકરી ટીપ્પણી કરી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ એક ડૂબતું જહાજ છે, તેમાં જે બેઠેલો દરેક વ્યક્તિ પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે ફાંફાં મારી રહ્યો છે. હવે જનતા રાહ જોઈ રહી છે કે, કોંગ્રેસનું આ જહાજ એક મહિનામાં ડૂબે છે કે 2 મહિનામાં કે 6 મહિનાની અંદર.

કોણ છે આ કાલીચરણ સરાફ?
જો કાલીચરણ સરાફની વાત કરીએ તો તેઓ રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેના નજીકના માનવામાં આવે છે. તેમની સરકારમાં તેમને આરોગ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે. છેલ્લા 1 સપ્તાહથી ચાલી રહેલા કોંગ્રેસના આ રાજકીય ઘમાસાણ વચ્ચે ભાજપ ખુલીને કોઈ નિવેદન આપી રહ્યું નથી. જે કારણે આ મુદ્દે સરાફે આપેલું આ નિવેદન ઘણું મહત્ત્વનું માનવામાં આવી રહ્યું છે.

સચિન પાયલોટને ઉશ્કેરી રહ્યું છે ભાજપ
સરાફના આ નિવેદન પર કેટલાક રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે, તેઓ એક રીતે આવા નિવેદન આપીને સચિન પાયલટને જૂથવાદ માટે ઉશ્કેરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભાજપના નેતા દ્વારા સચિન પાયલટના ભૂતકાળમાં પણ ઘણી વાર વખાણ કરવામાં આવ્યા છે. જોકે, સચિન પાયલટની ભાજપમાં એન્ટ્રી ઘણી મુશ્કેલ છે. તેનું કારણ એ છે કે, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને પાર્ટીના વરિષ્ઠ નેતા વસુંધરા રાજે સચિનના ભાજપ પ્રવેશનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે.
-
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી








Click it and Unblock the Notifications
