Tuticorin Protest: રજનીકાંતે 2 લાખ રૂપિયા આપવાનું એલાન કર્યું
અભિનેતામાંથી નેતા બનેલા સાઉથ સુપરસ્ટાર રજનીકાંતે તુતીકોરીન સ્ટરલાઇટ પ્લાન્ટ વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન પોલીસ ફાયરિંગમાં ઘાયલ થયેલા લોકોની બુધવારે હોસ્પિટલ જઈને મુલાકાત કરી હતી.
અભિનેતામાંથી નેતા બનેલા સાઉથ સુપરસ્ટાર રજનીકાંતે તુતીકોરીન સ્ટરલાઇટ પ્લાન્ટ વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન પોલીસ ફાયરિંગમાં ઘાયલ થયેલા લોકોની બુધવારે હોસ્પિટલ જઈને મુલાકાત કરી હતી. રજનીકાંતે મૃતક પરિવારને 2 લાખ રૂપિયા આપવાનું એલાન કર્યું છે. તેમને જણાવ્યું કે તેઓ આ બાબતે વધારે ટિપ્પણી કરવા નથી માંગતા, પરંતુ સરકારે સાવધાન રહેવું જોઈએ. લોકો જોઈ રહ્યા છે. આ સરકાર માટે એક સબક છે. એટલું જ નહીં પરંતુ તેમને પોલીસ ફાયરિંગ કરવા માટે મંજૂરી આપતા પોલીસ અધિકારીઓ વિરુદ્ધ પણ સખત પગલાં ભરવાની માંગ કરી છે.

રજનીકાંતે પીડિતો પર થયેલા અત્યાચારોનો વિરોધ કર્યો અને તેમને ન્યાય અપાવવા માટે વિશ્વાસ આપ્યો. પીડિતો અને તેમના પરિવારે રજનીકાંતને તેમની સાથે થયેલી બર્બરતા વિશે જણાવ્યું. રજનીકાંતે કહ્યું કે પોલીસ ફાયરિંગમાં શામિલ વરિષ્ઠ અધિકારીઓને સજા મળવી જોઈએ. હમણાં માટે સરકારની કાર્યવાહી સંતોષજનક છે. પરંતુ રાજ્ય સરકારે તરત કાર્યવાહી કરવાની જરૂર હતી. આ પહેલા પણ રજનીકાંતે એક વીડિયો જાહેર કર્યો હતો જેમાં તેમને શાંતિ બનાવી રાખવા માટે અપીલ કરી હતી.
તામિલનાડુ તુતીકોરીન માં એક સ્ટરલાઇટ કોપર કારખાનું બંધ કરવાની માંગને લઈને હિંસક પ્રદર્શન પછી મંગળવારે પોલીસ ફાયરિંગમાં 11 લોકોના જીવ ચાલ્યા ગયા. જયારે બીજા દિવસે બુધવારે ફરી હિંસા ભડકી અને તેમાં 2 લોકોના મૌત થયા અને 3 લોકો ઘાયલ થયા. તુતીકોરીન પોલીસ ફાયરિંગમાં અત્યારસુધી 13 લોકો જીવ ગુમાવી ચુક્યા છે. જયારે ઘણા લોકો ઘાયલ થયા છે. આ હિંસા પછી આખા વિસ્તારમાં તણાવ છે અને ધારા 144 લગાવી દેવામાં આવી છે.
I don't want to comment more on it, but the Govt needs to be careful as the people are watching, it was a huge mistake and a big lesson. I announce Rs 2 lakhs each for the kin of victims who died in the protest: #Rajinikanth in #Thoothukkudi. #SterliteProtest pic.twitter.com/rxM0mvuxLI
— ANI (@ANI) May 30, 2018
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
