For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપને ખતરનાક કહેનાર રજનીનો યુટર્ન, ‘એકની સામે બધા એકજૂટ તો તાકાતવાન કોણ?'

રજનીકાંતે ભાજપ સામે વિપક્ષી દળોના ગઠબંધન પર કહ્યુ છે કે જો એક પક્ષ કે વ્યક્તિ સામે આખો વિપક્ષ એકજૂટ થઈ રહ્યો છે તો પછી તાકાતવાન કોણ છે?

|
Google Oneindia Gujarati News

રજનીકાંતે ભાજપ સામે વિપક્ષી દળોના ગઠબંધન પર કહ્યુ છે કે જો એક પક્ષ કે વ્યક્તિ સામે આખો વિપક્ષ એકજૂટ થઈ રહ્યો છે તો પછી તાકાતવાન કોણ છે? રજનીએ કહ્યુ, કોઈ એક વ્યક્તિ સામે 10 લોકો એકજૂટ થઈ જાય તો તાકાતવાન કોણ થયુ તેનો અંદાજ લગાવી શકાય છે. રજનીએ આ પહેલા સોમવારે કહ્યુ હતુ કે જો વિપક્ષને લાગતુ હોય તો ભાજપ ખતરનાક થઈ શકે છે. એક દિવસ બાદ રજનીકાંતે પોતાનું નિવેદન બદલી દીધુ છે.

આ પણ વાંચોઃ મોદી સરકારની મુશ્કેલીઓ વધી, 4 લાખ સૈન્ય કર્મચારીઓ મોટી હડતાળની તૈયારીમાંઆ પણ વાંચોઃ મોદી સરકારની મુશ્કેલીઓ વધી, 4 લાખ સૈન્ય કર્મચારીઓ મોટી હડતાળની તૈયારીમાં

એક દિવસ પહેલા કરી હતી ભાજપની ટીકા

એક દિવસ પહેલા કરી હતી ભાજપની ટીકા

સોમવારે ચેન્નઈ એરપોર્ટની બહાર મીડિયાને રજનીકાંતે કહ્યુ હતુ કે જો વિપક્ષીઓને ભાજપ એક ખતરનાક પક્ષ લાગે છે તો એવુ બની શકે કે ભાજપ ખતરનાક પાર્ટી હોય. વળી, તેમણે નોટબંધીની પણ ટીકા કરી હતી. રજનીકાંતે કહ્યુ, એનડીએ સરકારે નોટબંધીના નિર્ણયને યોગ્ય રીતે લાગુ કર્યો નથી. આના પર હજુ વધુ ચર્ચા થવી જોઈતી હતી.

સ્પષ્ટ નથી કઈ તરફ જશે રજનીકાંત

સ્પષ્ટ નથી કઈ તરફ જશે રજનીકાંત

રજનીકાંતે અભિનયથી રાજકારણ તરફ વળાંક લીધો છે. ક્યારેક ભાજપની સાથે તો ક્યારેક વિપક્ષની સાથે ગઠબંધનની વાતો સામે આવતી રહે છે પરંતુ રજનીકાંતે આ અંગે સ્પષ્ટ કર્યુ નથી કે તે કઈ તરફ જશે. તે તમિલનાડુમાં એક મોટી રાજકીય તાકાત બનવા ઈચ્છે છે. વળી, તમિલનાડુમાં મુખ્ય વિપક્ષી પાર્ટી ડીએમકેએ આરોપ લગાવ્યો હતો કે રજનીકાંત ભાજપના હાથોની કઠપૂતળી બની ગયા છે.

તમિલનાડુમાં મોટી ભૂમિકા નિભાવી શકે છે રજની

તમિલનાડુમાં મોટી ભૂમિકા નિભાવી શકે છે રજની

જયલલિતાના મોત બાદ તમિલ સુપરસ્ટારે રાજકારણમાં પગરણ માંડવાનું મન બનાવી લીધુ હતુ અને આ બાબતે એલાન કર્યુ હતુ. સૂત્રો મુજબ આવતા મહિને 12 ડિસેમ્બરે પોતાના જન્મદિવસે રજનીકાંત ઔપચારિક રીતે પોતાના પક્ષની ઘોષણા કરી શકે છે. વળી, તે ભાજપમાં આગળ જશે કે નહિ તે અંગે સ્થિતિ હજુ સ્પષ્ટ થઈ શકી નથી.

આ પણ વાંચોઃ સબરીમાલા મંદિરઃ પુનર્વિચાર યાચિકાઓ પર સુપ્રીમ કોર્ટે આપ્યો સુનાવણીનો આદેશઆ પણ વાંચોઃ સબરીમાલા મંદિરઃ પુનર્વિચાર યાચિકાઓ પર સુપ્રીમ કોર્ટે આપ્યો સુનાવણીનો આદેશ

English summary
Rajinikanth says If opposition parties gang up against one person, who is powerful?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X