રુહાની બન્યા ઇરાનના રાષ્ટ્રપતિ, રાજનાથ સિંહે આપી શુભેચ્છા

rajnath singh
નવી દિલ્હી, 16 જૂન : ભાજપાએ આજે હસન રુહાનીના ઇરાનના નવા રાષ્ટ્રપતિ ચૂંટાવાનું સ્વાગત કર્યું છે અને કહ્યું છે કે ખાડી દેશમાં અહે ઉદારવાદી લોકોની સ્થિતિ મજબૂત થશે. ભાજપા અધ્યક્ષ રાજનાથ સિંહે ઉલ્લેખનીય જીત માટે રુહાનીને શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે.

સિંહે માઇક્રો બ્લોગિંગ વેબસાઇટ ટ્વિટર પર લખ્યું છે કે 'અમે આશા વ્યક્ત કરીએ છીએ કે હવે ઉદારવાદી લોકોનો અવાજ મજબૂત થશે. એક ઉદારવાદી અને સ્થિર ઇરાન ભારતના હિતમાં છે અને એ ન માત્ર ખાડી દેશમાં પરંતુ આખા વિશ્વમાં શાંતિ અને પ્રગતિ લાવશે.'

તેમણે જણાવ્યું કે નવનિર્માણ રાષ્ટ્રપતિની પાસે આ વાતની પૂરેપૂરી ક્ષમતા છે કે તેઓ સંપૂર્ણ સમજણ અને આશાની સાથે સંભાવનાના દરવાજાઓને ખોલશે. ઉલ્લેખનીય છે કે ઉદારવાદી ધર્મગુરુ રુહાની ગઇકાલે ઇરાનના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા અને છેલ્લા આઠ વર્ષથી ચાલી આવતા રૂઢિવાદીઓના શાસનનો અંત આવ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X