For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અડવાણીને મૂકી રાજનાથ ચાલ્યા રાજસ્થાન, જેટલી જશે વિદેશ

|
Google Oneindia Gujarati News

lk advani
નવી દિલ્હી, 11 જૂન : એકબાજુ લાલકૃષ્ણ અડવાણીના રાજીનામા બાદ બીજેપી ગઇકાલ સુધી તેમને મનાવતી દેખાતી હતી, પરંતુ આજે એ આલમ છે કે અડવાણીના વલણમાં પરિવર્તન હોવા છતાં બીજેપી અધ્યક્ષ રાજનાથ સિંહ રાજસ્થાન પ્રવાસ પર નીકળી ગયા છે. રાજસ્થાનના બાંસવારામાં રાજનાથ મહારાણા પ્રતાપની મૂર્તિનું અનાવરણ કરશે. શું આનો એ અર્થ નિકાળવામાં આવે કે પાર્ટી લાલકૃષ્ણ અડવાણીને મનાવવા માટે ગંભીર નથી.

આજે રાજનાથ સિંહ પોતાના નક્કી કાર્યક્રમ અનુસાર રાજસ્થાન જવા માટે રવાના થઇ ગયા છે. મીડિયા સાથેની વાતચીત કરતા તેમણે જણાવ્યું કે સંઘે તેમને કોઇ નિર્દેશ નથી આપ્યા. તેમણે અડવાણીને મનાવવાના સવાલ પર કોઇ જવાબ ના આપ્યો. બીજી બાજું અરુણ જેટલી પણ વિદેશ રવાના થઇ રહ્યા છે અને નરેન્દ્ર મોદી ગુજરાતથી બહાર જ નથી આવી રહ્યા. આવામાં અડવાણીને મનાવવાનો દૌર કેટલો લાંબો ચાલશે તેનો ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે.

આજે બીજેપીના ઘણા નેતાઓએ અડવાણી સાથે મુલાકાત કરી. સૌથી પહેલા તેમને મળવા વરિષ્ઠ નેતા જસવંત સિંહ આવ્યા. તેમને મળ્યા બાદ જસવંત સિંહે કહ્યું કે અડવાણીજીએ પણ સવાલ ઉઠાવ્યા છે તેનું સમાધાન થવું જોઇએ. એ જ ભાજપાના હિતમાં છે, અને દેશના પણ. આ ઉપરાંત ઉમા ભારતી અને પૂર્વ અધ્યક્ષ નિતિન ગડકરીએ પણ અડવાણીની મુલાકાત કરી.

અડવાણી સાથે મુલાકાત પહેલા ઉમા ભારતીએ સુષમા સ્વરાજ સાથે મુલાકાત કરી. ઉલ્લેખનીય છે કે બંને અડવાણી કેમ્પના જ સમજવામાં આવે છે. ઉમા તો નારાજગીના કારણે ગોવા કાર્યકારિણીની બેઠકમાં પણ ન્હોતી આવી. જોકે અડવાણીને મનાવવાનો દૌર હજી જારી છે, પરંતુ અડવાણી તરફથી કોઇપણ પ્રકારના સમાધાનના સંકેત મળી નથી રહ્યા. હવે જોવાનું એ છે કે ક્યાં સુધી ભાજપમાં રિસામણા મનામણા ચાલશે.

English summary
Rajnath singh going Rajsthan to leave Advani, Arun jaitley will go abroad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X