For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીના નામની ઘોષણા 9 જૂને કરશે રાજનાથ

|
Google Oneindia Gujarati News

narendra-modi
પણજી, 8 જૂન : ભાજપે ચૂંટણી પ્રચાર સમિતીનો હવાલો નરેન્દ્ર મોદીને સોંપવાનો નિર્ણય કરી લીધો છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ આ માટે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નામની ઘોષણા 9 જૂન, રવિવારના રોજ બેઠકના છેલ્લા દિવસે કરશે એમ સૂત્રોએ જણાવ્યું છે.

નરેન્દ્ર મોદીને આ પદ સોંપવું કે નહીં તે અંગે ભાજપના ચાલી રહેલા મતભેદોનો અંત આવી રહ્યો નથી. એલ કે અડવાણી સહિત ભાજપના મોદી વિરોધી નેતાઓ અચાનક બિમાર પડી ગયા છે અને રાષ્ટ્રીય કારોબોરી બેઠકમાં હાજરી આપી રહ્યા નથી. કેટલાક નેતાઓ એમ જણાવી રહ્યા છે કે અડવાણી શનિવારે ગમે તે સમયે હાજર થઇ શકે છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત અહેવાલ અનુસાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પણ ચૂંટણી પ્રચાર સમિતીના અધ્યક્ષ તરીકે મોદીના નામ પર મંજૂરીની મહોર લગાવી દીધી છે. જો કે વડાપ્રધાન પદ માટે મોદીના નામની ઘોષણા અંગે સંઘે ઉતાવળિયો નિર્ણય નહીં લેવાની સલાહ પણ આપી છે.

English summary
Rajnath Singh will announce Modi's name on June 9
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X