Rajya Sabha Elections 2024: સપાને મોટો ઝટકો, અખિલેશ યાદવના નજીક ગણાતા મનોજ પાંડેયે આપ્યુ રાજીનામુ
Rajya Sabha Elections 2024: રાજ્યસભાની ચૂંટણી પહેલા સમાજવાદી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. સમાજવાદી પાર્ટીના નેતા અને અખિલેશ યાદવના નજીકના ગણાતા મનોજ પાંડેયે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મનોજ પાંડે હવે ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં મતદાન કરશે.
મનોજ પાંડેય સમાજવાદી પાર્ટીમાં ચીફ વ્હીપનું પદ સંભાળી રહ્યા હતા. તેમણે પદ પરથી રાજીનામું આપતી વખતે લખ્યું છે કે "હું તમને જણાવવા માંગુ છું કે મને સપા વિધાન મંડળ પાર્ટી, ઉત્તર પ્રદેશ વિધાનસભાના ચીફ વ્હીપ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. તેથી , હું ચીફ વ્હીપના પદ પરથી રાજીનામું આપી રહ્યો છું, કૃપા કરીને તેને સ્વીકારો."

રાજ્યસભાની ચૂંટણીના દિવસે સમાજવાદી પાર્ટીના નેતા અને અખિલેશ યાદવની નજીક ગણાતા મનોજ પાંડેયના રાજીનામાથી યુપીના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ભાજપના નેતા દયા શંકર સિંહ મનોજ પાંડેયના ઘરે પહોંચ્યા અને તેમણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને મનોજ પાંડેની ફોન પર વાત પણ કરાવી.












Click it and Unblock the Notifications
