રાજ્યસભા સાંસદ મણિક સાહા હશે ત્રિપુરાના નવા મુખ્યમંત્રી, વિધાયક દળની બેઠકમાં લેવાયો નિર્ણય
ત્રિપુરામાં બિપ્લબ દેબના રાજીનામા બાદ ભાજપે હવે માણિક સાહાને રાજ્યના નવા મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત કરી છે. બિપ્લબ દેબના રાજીનામા બાદ ભાજપ વિધાયક દળની બેઠકમાં માણિક સાહાના નામને મંજૂરી આપવામાં આવી હતી. માણિક સાહા ત્રિપ
ત્રિપુરામાં બિપ્લબ દેબના રાજીનામા બાદ ભાજપે હવે માણિક સાહાને રાજ્યના નવા મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત કરી છે. બિપ્લબ દેબના રાજીનામા બાદ ભાજપ વિધાયક દળની બેઠકમાં માણિક સાહાના નામને મંજૂરી આપવામાં આવી હતી. માણિક સાહા ત્રિપુરા ભાજપના અધ્યક્ષ છે અને રાજ્યસભાના સાંસદ પણ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સીએમની રેસમાં ડેપ્યુટી સીએમ જિષ્ણુ દેવ વર્માનું નામ પણ ચર્ચામાં હતું. ત્રિપુરામાં ફેબ્રુઆરી 2023માં ચૂંટણી યોજાવાની છે.

બિપ્લબ દેબના રાજીનામા પછી, ભાજપે કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવ અને ભાજપ મહાસચિવ વિનોદ તાવડેને ભાજપ વિધાનમંડળ પક્ષની બેઠકના કેન્દ્રીય નિરીક્ષકો તરીકે નિયુક્ત કર્યા. આજે યોજાયેલી આ બેઠકમાં માણિક સાહાના નામ પર મહોર મારવામાં આવી હતી. ડેપ્યુટી સીએમ જિષ્ણુ દેબ બર્મન અને સાંસદ અને કેન્દ્ર સરકારમાં રાજ્ય મંત્રી પ્રતિમા ભૌમિકી આ રેસમાં હતા. પરંતુ પાર્ટીએ માણિક સાહ પર વિશ્વાસ વ્યક્ત કર્યો. ટૂંક સમયમાં તેઓ રાજ્યના આગામી સીએમ તરીકે શપથ લેશે.
વ્યવસાયે ડેન્ટિસ્ટ મણિક સાહાની ગણતરી ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓમાં થાય છે. હાલ તેઓ પ્રદેશ પ્રમુખ છે. ગયા મહિને તેઓ રાજ્યસભાની ચૂંટણી જીતીને ઉપલા ગૃહના સભ્ય બન્યા હતા. ડો.માનિકને રાજ્યના મુખ્યમંત્રી બનાવ્યા બાદ બિપ્લબ દેવને ફરીથી રાજ્યના ભાજપ અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સંગઠનમાં સારી પકડને જોતા કેન્દ્રીય હાઈકમાન્ડ ફરીથી તેમને આ જવાબદારી સોંપી શકે છે.
સાહાને વિધાયક દળના નેતા તરીકે ચૂંટાયા બાદ કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે ત્રિપુરા બીજેપી વિધાયક દળના નેતા તરીકે ચૂંટાવા બદલ માણિક સાહાને ખૂબ ખૂબ અભિનંદન. મને ખાતરી છે કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને નેતૃત્વમાં ત્રિપુરા વિકાસની નવી ઊંચાઈઓ પર પહોંચશે. પૂર્વ સીએમ બિપ્લબ દેબે પણ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ માણિક સરકારનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યું હતું.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ: આગામી બે દિવસ બાદ પલટાશે હવામાન, આ જિલ્લાઓમાં વરસાદની આગાહી









Click it and Unblock the Notifications
