બેંગ્લોરમાં એક દિલ્હી બનાવવાની જરૂરત, ખેડૂત આંદોલન ના થયું તો દેશ વેચી નાખશેઃ રાકેશ ટિકૈત
બેંગ્લોરમાં એક દિલ્હી બનાવવાની જરૂરત, ખેડૂત આંદોલન ના થયું તો દેશ વેચી નાખશેઃ રાકેશ ટિકૈત
ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે શનિવારે કર્ણાટકના શિવમોગ્ગામાં ખેડૂતોની એક સભાને સંબોધિત કરતાં નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું, બીકેયૂ નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, બેંગ્લોરમાં એક દિલ્હી બનાવવાની જરૂરત છે. રાકેશ ટિકૈતના કહેવાનો મતલબ હતો કે બેંગ્લોરમાં દિલ્હી જેવું ખેડૂત આંદોલન થવું જોઈએ. રાકેશ ટિકૈતે કહ્યું, 'તમારે બેંગ્લોરમાં એક દિલ્હી બનાવવાની જરૂરત છે. કેન્દ્ર સરકારને આવી રીતે ઘેરવામા આવે. પીએમ મોદીએ કહ્યું કે ખેડૂતો ગમે ત્યાં પાક વેચી શકે છે. માટે તમે તમારો પાક ડીસી, એસડીએમના કાર્યાલયોમાં લઈ જાવ અને ત્યાં જવાથી જો પોલીસ તમને રોકે છે તો તેમને એમએસપી પર ફસલ ખરીદવાનું કહો.'

દિલ્હીમાં ચાલી રહેલ ખેડૂત આંદોલનને લઈ રાકેશ ટિકૈતે કહ્યું કે, "જો આ ખેડૂત આંદોલન નહિ થયું તો, દેશ વેચી નાખશે અને આગામી 20 વર્ષમાં આપણી જમીન ગુમાવી દેશું. લગભગ 26 પ્રમુખ સાર્વજનિક ઉપક્રમ ખાનગીકરણની પ્રક્રિયામાં છે. આ વેચાણ રોકવાનો આપણે સંકલ્પ લેવો પડશે."












Click it and Unblock the Notifications
