Ram mandir Inauguration: રામ મંદિર ઉદ્ઘાટન પહેલા અયોધ્યા એરપોર્ટની સુરક્ષા સઘન, CISFના 250 જવાન થશે તૈનાત
Ram mandir Inauguration: અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પર બનેલા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ પહેલા અયોધ્યા એરપોર્ટની સુરક્ષાની જવાબદારી CISF એઔપચારિક રીતે સંભાળી લીધી છે. એક નિવેદનમાં, CISFએ કહ્યું કે આગામી પગલા તરીકે, ટૂંક સમયમાં એરપોર્ટ પર સુરક્ષા એકમ તૈનાત કરવામાં આવશે.
રામલલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા અયોધ્યા એરપોર્ટ પર ઘણું દબાણ છે. આવી સ્થિતિમાં સીઆઈએસએફ સુરક્ષાના તમામ માપદંડોને પૂર્ણ કરીને અહીં ઉચ્ચ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ઝડપથી પૂર્ણ કરવા જઈ રહી છે.

શ્રી રામ જન્મભૂમિ ખાતે 22 જાન્યુઆરીએ યોજાનાર રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પહેલા મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષા કડક કરવામાં આવશે. આ માટે સીઆઈએસએફને જવાબાદારી સોંપવામાં આવી છે. ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, ગૃહ મંત્રાલયે 250 સીઆઈએસએફ જવાનો અને અધિકારીઓને સુરક્ષાની જવાબદારી સોંપી છે. અગાઉ એરપોર્ટની સુરક્ષા ઉત્તર પ્રદેશ સ્પેશિયલ સિક્યુરિટી ફોર્સ (UPSSF)ની જવાબદારી હતી.
સીઆઈએસએફએ મંગળવારે (09 જાન્યુઆરી) ઔપચારિક રીતે અયોધ્યા એરપોર્ટની સુરક્ષા સંભાળી લીધી. આ વાતની પુષ્ટિ કરતા સીઆઈએસએફના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે આગામી થોડા દિવસોમાં જરૂરિયાત મુજબ એક સમર્પિત (સીઆઈએસએફ) યુનિટ તૈનાત કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સુરક્ષા માટે જરૂરી તમામ સુરક્ષા વ્યવસ્થાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે અયોધ્યા એરપોર્ટનું ઉદ્ઘાટન 30 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. તે જ દિવસે તેમણે અયોધ્યા ધામ રેલ્વે જંકશનથી ભારતની 8 નવી ટ્રેનોને લીલી ઝંડી આપી હતી. પીએમ મોદી આ મહિનાની 22 તારીખે ફરી અયોધ્યા પહોંચશે. જ્યાં તેઓ શ્રી રામ જન્મભૂમિ પર બનેલા રામ મંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા વિધિમાં ભાગ લેશે.
શ્રી રામ જન્મભૂમિમાં પ્રાણ પ્રતિષ્ઠાની મુખ્ય વિધિ માટે વૈદિક અનુષ્ઠાન 16 જાન્યુઆરીથી જ શરૂ થશે. વારાણસીના પૂજારી લક્ષ્મીકાન્ત દીક્ષિત મુખ્ય વિધિ કરશે. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ 22 જાન્યુઆરીએ થશે, અયોધ્યામાં 14 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી અમૃત મહોત્સવ ઉજવાશે. વિહિપે અયોધ્યા સહિત સમગ્ર ભારતમાં આને તહેવાર તરીકે ઉજવવાનું આહ્વાન કર્યું છે.
-
PNG New Rule: ઘરમાં પાઈપલાઈન ગેસ અને LPG બંને છે તો સાવધાન! તાત્કાલિક કરો આ કામ, સરકારનો નવો આદેશ લાગુ -
Gold Price Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજના ભાવ -
IPL 2026: આ 5 ખેલાડીઓ છેલ્લી આઈપીએલ રમશે? લઈ શકે છે નિવૃત્તિ -
ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વાતાવરણમાં પલ્ટો, માવઠાને લઈને હવામાન વિભાગની નવી આગાહી -
ગુજરાત-મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોમાં પેટાચૂંટણીનું શિડ્યુલ જાહેર, આ 8 બેઠકો પર સૌની નજર, ક્યારે આવશે પરિણામ? -
અમરેલી: ખાંભાના ઈંગોરાળામાં 220 લીટર નકલી દૂધ ઝડપાયુ -
IPL 2026 Tickets: આઈપીએલની ટીકીટ કઈ રીતે કરી શકશો બુક, જાણો કિંમતથી લઈ તમામ જાણકારી -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો! ₹2990 સસ્તું થયું સોનું, જાણો આજની લેટેસ્ટ કિંમત -
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
LPG Shortage: 'PNG ધારકોને નહીં મળે LPG કનેક્શન', નોટિફિકેશન જાહેર, આજે કેટલામાં મળી રહ્યો છે સિલિન્ડર? -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં










Click it and Unblock the Notifications
