Ram Mandir : ઈસરોએ જારી કર્યો રામ મંદિરનો આકાશી નજારો, જુઓ ફોટો
રામ મંદિર અભિષેક સમારોહ પહેલા ISROના નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર (NRSC) એ રામ મંદિરના આકાશમાંથી લીધેલા ફોટો જારી કર્યા છે. આ તસવીરો અંતરિક્ષમાંથી સ્વદેશી ઉપગ્રહો દ્વારા લેવામાં આવી છે.
NRSC દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં નિર્માણાધીન રામ મંદિર મોટા કદમાં જોઈ શકાય છે. NRSC મુજબ, નિર્માણાધીન મંદિરનો ફોટો ભારતીય ઉપગ્રહો દ્વારા 16 ડિસેમ્બર 2023 ના રોજ અભિષેક સમારોહના લગભગ એક મહિના પહેલા લેવામાં આવ્યા હતા.

સેટેલાઇટ તસવીરોમાં રામ મંદિર નજીક પુનઃવિકાસિત દશરથ મહેલ અને સરયૂ નદી પણ જોઈ શકાય છે. NRSC દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં અયોધ્યા રેલ્વે સ્ટેશનનું નવું નવીનીકરણ પણ દેખાઈ રહ્યું છે.
મંદિરનો પ્રથમ તબક્કો પૂર્ણતાના આરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 22 જાન્યુઆરીએ રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેશે. પરંપરાગત નાગર શૈલીમાં બનેલું મંદિર સંકુલ 380 ફૂટ લાંબુ (પૂર્વ-પશ્ચિમ દિશા), 250 ફૂટ પહોળું અને 161 ફૂટ ઊંચું હશે. મંદિરનો દરેક માળ 20 ફૂટ ઊંચો હશે અને તેમાં કુલ 392 થાંભલા અને 44 દરવાજા હશે.

આ મંદિર ગ્રેનાઈટ, સેન્ડસ્ટોન અને માર્બલનો ઉપયોગ કરીને લોક અને કી મિકેનિઝમ સાથે બાંધવામાં આવ્યું છે, જે 1,000 વર્ષ સુધીનું આયુષ્ય સુનિશ્ચિત કરે છે.
તમને જણાવી દઈએ કે, રામ મંદિરના નિર્માણમાં લોખંડ કે ગારાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.












Click it and Unblock the Notifications
