Ram Mandir : જાણો કોણે બનાવી છે રામ મંદિરની ડિઝાઈન? 15 પેઢીથી કરી રહ્યા છે આ કામ
અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનીને તૈયાર થવા જઈ રહ્યું છે. આ મંદિર લોકો માટે ખુલ્લુ મુકાય તે પહેલા તેની ભવ્યતા વિશે ખુબ ચર્ચા થઈ રહી છે.
અયોધ્યામાં રામ મંદિર લગભગ સંપૂર્ણ રીતે તૈયાર છે અને ટૂંક સમયમાં સામાન્ય લોકો માટે ખુલવા જઈ રહ્યું છે. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનો અભિષેક કરવામાં આવશે અને ત્યારબાદ તેને લોકો માટે ખોલવામાં આવશે.

ભવ્ય રામ મંદિરની તસવીરો પણ સામે આવી છે, જેમાં જોઈ શકાય છે કે મંદિર કેટલું સુંદર છે. આ તસવીરો બાદ લોકો એ જાણવા પ્રયાસ કરી રહ્યા છે કે તેની ડિઝાઈન કોણે બનાવી છે?
જણાવી દઈએ કે, રામ મંદિરની ડિઝાઈન જાણીતા ડિઝાઈનર ચંદ્રકાંત સોમપુરાએ કરી છે. તેમની 15 પેઢીઓથી મંદિરોની ડિઝાઇન કરવામાં આવી રહી છે. આ કામમાં તેમનો પરિવાર વિશ્વ વિખ્યાત છે.
સોમપુરા પરિવારે અત્યાર સુધીમાં દેશના અનેક મોટા મંદિરોની ડિઝાઈન તૈયાર કરી છે. જેમાં ગુજરાતના સોમનાથ મંદિર અને બિરલા મંદિરનો પણ સમાવેશ થાય છે.
લગભગ 30 વર્ષ પહેલા ગુજરાતના રહેવાસી ચંદ્રકાંત સોમપુરાએ રામ મંદિર આંદોલન દરમિયાન ડિઝાઇન તૈયાર કરી હતી, જેમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે અને હવે મંદિરને આખરી રૂપ આપવામાં આવ્યુ છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
