Ramadan 2019: 7 મેના રોજ થશે પહેલા રોજા, જાણો કેટલીક ખાસ વાતો
Ramadan 2019: 7 મેના રોજ થશે પહેલા રોજા, જાણો કેટલીક ખાસ વાતો
નવી દિલ્હીઃ રામજાન ઉલ મુબારકનો ચાંદ 5મી મે એટલે કે રવિવારે જોવા ન મળ્યો, જેથી રમજાનના પહેલા રોજા મંગળવારે 7મી મેના રોજ રાખવામાં આવશે. આ ઘોષણા દારુલ કજા ઈમારત-એ-શરિયા ફુલવારીશરીફના કાજી-એ-શરિયાત મૌલાના અબ્દુલ જલીલ કાસમીએ કરી છે. મરકજી મલિસ રુયત હેલાલ ખાનકાહ મુજીબિયા ફુલવારીશરીફ અને બિહાર રિયાસત રૂયત હેલાલ કમિટીએ પણ સૂચના આપી છે કે દેશના કોઈપણ ખુણેથી ચાંદ દેખાયો હોવાની સૂચના મળી નથી.

7મી મેએ પહેલા રોજ
જણાવી દઈએ કે ઈસ્લામિક કેલેન્ડરનો આ મહિનો ત્યાગ, સેવા, સમર્પણ અને ભક્તિનો છે, માટે રમજાન અથવા રમદાનને બહુ પવિત્ર માનવામાં આવે છે, આ ઈસ્લામી કેલેન્ડરનો નવમો મહિનો છે, મરજાનને કુરાનના જશ્નનો પણ મોકો માનવામાં આવે છે. આ દરમિયાન તમામ ઈસ્લામિક લોકો રોજા રાખે છે.

રમજાનના મહિનામાં જન્નતના દરવાજા ખોલી દેવામાં આવે છે
માન્યતા છે કે રમજાનના મહિનામાં જન્નતના દરવાજા ખોલી દેવામાં આવે છે અને જે રોજા રાખે છે તેને જ જન્નત નસીબ થાય છે. પૈગમ્બર ઈસ્લામ મુજબ રમજાન મહિનાનો પ્રથમ અશરા (10 દિવસ) રહમતના, દ્વીતિય અશરા મગફિરત અને તૃતિય અશરા દોજખથી આઝાદી અપાવવાનો છે. આ મહિને પ્રેમ અને તેના પર સંયમ રાખવું જોઈએ એવું એટલા માટે કહેવામાં આવ્યું છે કારણ કે દરેક મુસલમાને રોજા રાખવા જોઈએ.

નશીલી ચીજોનું સેવન ન કરવું જોઈએ
આ દરમિયાન માત્ર અલ્લાહની ઈબાદત કરવી જોઈએ અને સહરી તથા ઈફ્તારનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ દરમિયાન દારૂ, સિગરેટ, તમાકુ અને નશીલી ચીજોનું સેવન ન કરવું જોઈએ. વૃદ્ધો, બાળકો, ગર્ભવતી મહિલાઓ, નવજાતની મા અને સફર કરતા યાત્રિઓને રોજા રાખવાની મનાઈ છે.

દરેક માણસને જકાત આપવાની હોય છે
રમજાન દરમિયાન દરેક મુસલમાનને જકાદ આપવાની હોય છે. જણાવી દઈએ કે જકાદનો મતલબ અલ્લાહના રાહ પર પોતાની આવકમાંથી કેટલાક રૂપિયા કાઢી જરૂરિયાતમંદોને આપવા. કહેવાય છે કે જકાતને રમજાન દરમિયાન જ આપવી જોઈએ જેથી ગરીબો સુધી તે પહોંચે અને તેઓ પણ ઈદ મનાવી શકે.
-
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં હીટવેવનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
ખામેનીના મૃત્યુ બાદ ભારતે શોક વ્યક્ત કર્યો, જયશંકરે ઈરાન સાથે વાટાઘાટો કરી -
બરોડા ડેરીના સંચાલકોને રજીસ્ટ્રારે કારણદર્શક નોટિસ ફટકારી, જાણ કેમ?







Click it and Unblock the Notifications
