શહીદ હેમંત કરકરે સાથે જોડાયેલા નિવેદન પર પ્રજ્ઞાના બચાવમાં બાબા રામદેવ આવ્યા
યોગ ગુરુ બાબા રામદેવે શહીદ હેમંત કરકરે વિરુદ્ધ નિવેદન આપીને ફસાયેલી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનો બચાવ કર્યો છે.
યોગ ગુરુ બાબા રામદેવે શહીદ હેમંત કરકરે વિરુદ્ધ નિવેદન આપીને ફસાયેલી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનો બચાવ કર્યો છે. તેમને કહ્યું કે પ્રજ્ઞા ઠાકુર સાથે અન્યાય થયો છે. કોઈની ફક્ત શંકાના આધારે ધરપકડ કરીને પ્રતાડિત કરવું યોગ્ય નથી. બાબા રામદેવને જયારે હેમંત કરકરે પર પ્રજ્ઞા ઠાકુરની ટિપ્પણી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમને કહ્યું કે પ્રજ્ઞા ઠાકુર અને તેમના સાથીઓની જયારે ધરપકડ કરવામાં આવી ત્યારે જેલમાં તેમને ઘણી યાતનાઓ આપવામાં આવી હતી.
આ પણ વાંચો: અમિત શાહે સાધ્વી પ્રજ્ઞા ઠાકુર મામલે મોટી વાત જણાવી
પ્રજ્ઞા ઠાકુર પર જે વીત્યું તેને પણ મીડિયા જુએ
બાબા રામદેવે કહ્યું કે જેલમાં પ્રજ્ઞા ઠાકુર પર ઘણા અત્યાચાર થયા. તેમને ખરાબ રીતે પ્રતાડિત કરવામાં આવ્યા. મીડિયાએ બંને પક્ષને જોવા જોઈએ. મીડિયાએ તે પણ જોવું જોઈએ કે સાધ્વી પ્રજ્ઞા પર ઘણા અત્યાચાર થયા છે.
સાધ્વી પ્રજ્ઞાએ હેમંત કરકરે માટે કંઈક આવું નિવેદન આપ્યું
સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે કહ્યું હતું કે હેમંત કરકરેએ તેને માલેગાંવ બ્લાસ્ટ અંગે ખુબ જ પરેશાન કરી હતી. ત્યારે મેં તેને શ્રાપ આપ્યો હતો કે જા, તારું સર્વનાશ થશે. આ બધાના ત્રણ મહિના પછી જ તેની મૌત થઇ ગઈ. પ્રજ્ઞા ઠાકુર તેને નિવેદનને કારણે સોશ્યિલ મીડિયા પર ટ્રોલ થઇ રહી છે.
જામીન પર છે સાધ્વી પ્રજ્ઞા
માલેગાંવ બ્લાસ્ટની આરોપી ગણાવવામાં આવેલી પ્રજ્ઞા ઠાકુર હાલમાં જામીન પર બહાર છે. તેવી સ્થિતિમાં ભાજપ ઘ્વારા તેને ભોપાલ લોકસભા સીટથી ટિકિટ આપવા મામલે વિવાદ ઉભો થયો છે. લોકસભા સીટની ટિકિટ મળ્યા પછી પ્રજ્ઞા ઠાકુર સતત વિવાદિત નિવેદન આપી રહી છે. હાલમાં જ તેને ભોપાલ લોકસભા સીટથી કોંગ્રેસ ઉમેદવાર દિગ્વિજય સિંહને મહિસાસુર ગણાવ્યા અને પોતાને મહિસાસુર વર્ધાની ગણાવી.