For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિત શાહે સાધ્વી પ્રજ્ઞા ઠાકુર મામલે મોટી વાત જણાવી

ભાજપે જ્યારથી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ભોપાલ લોકસભા સીટથી ઉમેદવાર બનાવી છે, ત્યારથી રાજનીતિ ગરમાઈ ચુકી છે.

|
Google Oneindia Gujarati News

ભાજપે જ્યારથી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ભોપાલ લોકસભા સીટથી ઉમેદવાર બનાવી છે, ત્યારથી રાજનીતિ ગરમાઈ ચુકી છે. પ્રજ્ઞા ઠાકુર એક પછી એક વિવાદિત નિવેદન આપીને પાર્ટીની મુસીબત પણ વધારી રહી છે. તેના પર વિપક્ષી દળો ઘ્વારા તેમના પર હુમલા કરવામાં આવી રહ્યા છે. હવે ભાજપ ઘ્વારા સાધ્વીનો બચાવ કરીને કોંગ્રેસ પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. માલેગાંવ બ્લાસ્ટ કેસમાં આરોપી પ્રજ્ઞા ઠાકુર અંગે ભાજપા અધ્યક્ષ અમિત શાહે મોટું નિવેદન આપ્યું છે.

આ પણ વાંચો: હવે જયાપ્રદા પર કેસ નોંધાયો, માયાવતી માટે વિવાદિત નિવેદન આપ્યું

કોર્ટમાં કેસ ચાલ્યો તો કેસ નકલી છે તેવું બહાર આવ્યું: અમિત શાહ

કોર્ટમાં કેસ ચાલ્યો તો કેસ નકલી છે તેવું બહાર આવ્યું: અમિત શાહ

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં પ્રેસ કોન્ફ્રન્સ દરમિયાન અમિત શાહે સાધ્વી પ્રજ્ઞા ઠાકુર અંગે વાત કરી. અમિત શાહે જણાવ્યું કે, હિન્દૂ ટેરર નામે એક નકલી કેસ બનાવવામાં આવ્યો હતો. દુનિયામાં દેશની સંસ્કૃતિને બદનામ કરવામાં આવી કોર્ટમાં કેસ ચાલ્યો તો તેને નકલી જણાવવામાં આવ્યો.

હિન્દૂ ટેરર નામે એક નકલી કેસ બનાવવામાં આવ્યો હતો

અમિત શાહે બાટલા હાઉસ એન્કાઉન્ટરનો ઉલ્લેખ કર્યો અને કોંગ્રેસ પર જોરદાર પ્રહાર કર્યો. તેમને કહ્યું કે બાટલા હાઉસ એન્કાઉન્ટર થયું ત્યારે સોનિયા ગાંધીને આતંકીઓના મરવા પર રડવાનું આવ્યું હતું, પરંતુ જયારે આપણો એક બહાદુર પોલીસ ઇન્સ્પેક્ટર શહીદ થયો ત્યારે તેની મૌત પર રડવાનું નહીં આવ્યું. તેના પર કોંગ્રેસે જવાબ આપવો જોઈએ.

પીએમ મોદીના બંગાળથી ચૂંટણી લડવાના સવાલ પર

અમિત શાહે કહ્યું કે, જે શરણાર્થીઓ બાંગ્લાદેશથી આવ્યા છે તે હિન્દૂ હોય, બૌદ્ધ હોય, જૈન હોય, શીખ કે પછી ઈસાઈ હોય, ભાજપે તેમના સંકલ્પ પત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે તેમને નાગરિકતા આપવામાં આવશે. એટલું જ નહીં પરંતુ તેમને પીએમ મોદીના પશ્ચિમ બંગાળથી ચૂંટણી લડવા વિશે આવી રહેલી માહિતી વિશે વાત કરતા કહ્યું કે તેની કોઈ જ સંભાવના નથી. તેઓ આવી કોઈ જ યોજના નથી બનાવી રહ્યા.

મમતા બેનર્જી પર પ્રહાર કર્યો

મમતા બેનર્જી પર પ્રહાર કર્યો

અમિત શાહે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી પર પણ પ્રહાર કર્યો છે. અમિત શાહે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં બે તબક્કાની ચૂંટણી પછી મમતા બેનર્જીની બોખલાહટ સ્પષ્ટ દેખાઈ રહી છે. તેમને પોતાની હાર દેખાઈ રહી છે. બધા જ લોકતાંત્રિક હિતોને દફન કરી ચુકેલી મમતા દીદી આજે લોકતંત્રની વાત કરી રહી છે.

English summary
lok sabha elections 2019: Amit Shah defended sadhvi pragya
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X