રણજીત સાગર ઝીલને વર્લ્ડ ક્લાસ ટુરિઝમ સાઈટ બનાવશે પંજાબ સરકાર, પઠાણકોટ પણ ચમકશે
પંજાબ સરકાર પઠાણકોટ સ્થિત રણજીત સાગર ઝીલને વર્લ્ડ ક્લાસ ટુરિઝમ સાઈટ તરીકે વિકસિત કરશે.
પઠાણકોટઃ પંજાબ સરકાર પઠાણકોટ સ્થિત રણજીત સાગર ઝીલને વર્લ્ડ ક્લાસ ટુરિઝમ સાઈટ તરીકે વિકસિત કરશે. આ સાથે કપૂરથલામાં દરબાર હૉલ અને ગોલ કોઠી, સંગરુરમાં સંગરુર કોઠી, અમૃતસર અને મોહાલીમાં કનવેંશન સેન્ટર, શાહપુર કંડીનો કિલ્લો પણ પર્યટકો માટે તૈયાર કરવામાં આવશે. આવા સ્થળો દ્વારા પંજાબને વૈશ્વિક નક્શા પર લાવવા, પર્યટનને પ્રોત્સાહન આપવાના હેતુથી ભગવંત માન સરકાર તૈયારી કરી રહી છે.
આ અંગે સરકારના મુખ્ય સચિવે જણાવ્યુ હતુ કે રાજ્ય સરકાર પઠાણકોટના રણજીત સાગર તળાવને આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવશે. રાજ્યમાં પ્રવાસન અને અન્ય ક્ષેત્રોમાં રોકાણ કરવા માટે ખાનગી ક્ષેત્રને આમંત્રિત કરવા સરકારે શુક્રવારે નવી દિલ્હીમાં રોકાણકાર પરિષદનુ આયોજન કર્યુ હતુ. અન્ય પ્રોજેક્ટ્સમાં કપૂરથલામાં દરબાર હૉલ અને ગોલ કોઠી, સંગરુરમાં સંગરુર કોઠી, અમૃતસર અને મોહાલીમાં કન્વેન્શન સેન્ટર, શાહપુર કાંડી કિલ્લો વગેરેનો સમાવેશ થાય છે. મુખ્ય સચિવ અનિરુદ્ધ તિવારીએ માહિતી આપી હતી કે રણજીત સાગર તળાવને જાહેર-ખાનગી ભાગીદારી હેઠળ અદ્યતન પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે.
વળી, રાજ્યમાં ટ્રાન્સપોર્ટ માફિયાઓ પર કડક કાર્યવાહી કરવાની વાત કરીને મુખ્યમંત્રી ભગવંત માને જાહેરાત કરી છે કે પંજાબથી નવી દિલ્હી એરપોર્ટ સુધી સુપર લક્ઝરી વૉલ્વો બસો 15 જૂનથી શરૂ થશે. મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે, રાજ્યમાં માફિયા નાબૂદી માટે સેવા આપવા માટે અમને લોકો દ્વારા વિશાળ જનસમર્થન આપવામાં આવ્યુ છે. સીએમ માને કહ્યુ કે મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે હવે ટ્રાન્સપોર્ટ માફિયા ભૂતકાળ બની જશે. મુખ્યમંત્રીએ જણાવ્યુ કે દાયકાઓથી આ રૂટ પર માત્ર ખાનગી ટ્રાન્સપોર્ટ માફિયાઓ બસો દોડાવીને પોતાની મરજી મુજબ ભાડુ વસૂલીને લોકોને લૂંટી રહ્યા છે. આ લોકોએ આ ધંધામાં ઈજારો સ્થાપ્યો હતો. આ લોકોએ આ વેપાર પર એકાધિકાર મેળવી લીધો હતો.