લિવ-ઇન રિલેશનમાં બ્રેક-અપથી વધી રહ્યાં છે બળાત્કાર: હાઇકોર્ટ
યુવાનો અણસમજમાં લિવ-ઇનમાં રહેવાનું શરૂ કરી દે છે. પરંતુ આ સંબંધોમાં નિષ્ફળ રહેવા તથા બ્રેક-અપના મુદ્દે બળાત્કારનું રૂપ ધારણ કરી લે છે. હાઇકોર્ટે સ્વિકાર્યું કે લિવ-ઇન રિલેશનમાં બ્રેક-અપ થવું બળાત્કારના કેસમાં વધારો થવાનું કારણ છે. કોર્ટે યુવાનોના માતા-પિતાને આ પ્રકારના કેસમાં નિવારણમાં સંવેદનશીલતા વર્તવાની અપીલ કરી છે.
જસ્ટિસ કૈલાશ ગંભીર અને સુનીતા ગુપ્તાએ આ ટિપ્પણી એક છોકરીના દિલ્હી નિવાસી ચાર પરિવારજનોની ઉંમરકેદને યથાવત રાખતાં કરી. કેસમાં આરોપીમાં છોકરીના પિતા પણ છે. છોકરીના પોતાએ પોતાની પુત્રીનું પ્રેમ કરવું કબૂલ ન હતું. આથી ગુસ્સામાં આવીને તેમણે પોતાની પુત્રીના પ્રેમીની હત્યા કરી દિધી હતી. કોર્ટે 24 વર્ષના યુવકની હત્યા પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે યુવાનો ખાસ કરીને છોકરીઓનું લિવ-ઇન સંબંધમાં જવું અથવા લગ્ન કરવાના નિર્ણય પહેલાં જવાબદેહ જવાની જરૂરિયાત છે. જેથી બળાત્કાર જેવી ઘટનાઓ અટકાવી શકાય.