રવિશંકર પ્રસાદ અને સ્મૃતિ ઇરાનીએ લગાવ્યું ઝાડું
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધી જયંતિના અવસરે જે સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરવાના છે, કેન્દ્રિય માનવ સંસાધન મંત્રી સ્મૃતિ ઇરાનીએ અઠવાડિયા પહેલાં તેની શરૂઆત દિલ્હીની સેંટ્રલ સ્કુલથી કરી છે. હાથમાં સાવરણી પકડી સ્મૃતિ ઇરાનીએ સ્કુલના મેદાનની સાફ-સફાઇ કરી અને કુંડા રંગરોગાનમાં મદદ કરી.
2 ઓક્ટોમ્બર ભલે હજુ અઠવાડિયાની વાર હોય, પરંતુ માનવ સંસાધન મંત્રી સ્મૃતિ ઇરાનીએ હાથમાં સાવરણી પકડીને સ્વચ્છ અભિયાનની શરૂઆત કરી દિધી છે. આ ફોટો દિલ્હીની સેંટ્રલ સ્કુલનો છે.
ગઇકાલે સ્મૃતિ ઇરાનીએ કેન્દ્રિય વિદ્યાલયની સફાઇ કરી હતી. આજે કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે પોતાના મંત્રાલય શાસ્ત્રી ભવનમાં સાવરણી ફેરવી હતી. 2 ઓક્ટોબરના રોજ રવિશંકર પટના જંક્શન પર સફાઇ અભિયાન ચલાવશે. આ અભિયાનના લીધે 2 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિની રજા રદ કરવામાં આવી છે.
સ્મૃતિ ઇરાનીએ પોતાના અભિયાનને સ્વચ્છ ભારત, સ્વચ્છ વિદ્યાલય નામ આપ્યું અને એ પણ જાહેરાત કરી કે સાફ-સફાઇમાં દેશમાં અવલ્લ આવનાર સ્કુલને એક લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. તેમણે સ્વચ્છતા અભિયાનને સિલેબસ સાથે જોડાવવાનો ઇશારો પણ કર્યો.
સ્વચ્છ ભારત અભિયાન હેઠળ સરકારની ઇચ્છા દેશના 4041 શહેરોને આગામી પાંચ વર્ષોમાં સ્વચ્છ બનાવવાની છે. તેનાપર 62 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવાની તૈયારી છે.
માનવ સંસાધન મંત્રી સ્મૃતિ ઇરાનીએ હાથમાં સાવરણી ઉઠાવીને અભિયાનને મજબૂતી લાગૂ કરવાનો સંદેશો તો આપી દિધો છે. 15 ઓગષ્ટના રોજ વડાપ્રધાને લાલ કિલ્લા પરથી સ્વચ્છતા અભિયાનની જાહેરાત કરી હતી. લાલ કિલ્લા વિસ્તારમાં પણ સફાઇ અભિયાન અહીં અભિયાન ચલાવવામાં આવે છે.
મંત્રી રવિશંકર પ્રસાદ
આજે કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે પોતાના મંત્રાલય શાસ્ત્રી ભવનમાં સાવરણી ફેરવી હતી. 2 ઓક્ટોબરના રોજ રવિશંકર પટના જંક્શન પર સફાઇ અભિયાન ચલાવશે.
સ્મૃતિ ઇરાનીએ કરી શરૂઆત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધી જયંતિના અવસરે જે સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરવાના છે, કેન્દ્રિય માનવ સંસાધન મંત્રી સ્મૃતિ ઇરાનીએ અઠવાડિયા પહેલાં તેની શરૂઆત દિલ્હીની સેંટ્રલ સ્કુલથી કરી છે.
કુંડાનું રંગરોગાન
હાથમાં સાવરણી પકડી સ્મૃતિ ઇરાનીએ સ્કુલના મેદાનની સાફ-સફાઇ કરી અને કુંડા રંગરોગાનમાં મદદ કરી.
એક લાખ રૂપિયાનું ઇનામ
સ્મૃતિ ઇરાનીએ પોતાના અભિયાનને સ્વચ્છ ભારત, સ્વચ્છ વિદ્યાલય નામ આપ્યું અને એ પણ જાહેરાત કરી કે સાફ-સફાઇમાં દેશમાં અવલ્લ આવનાર સ્કુલને એક લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. તેમણે સ્વચ્છતા અભિયાનને સિલેબસ સાથે જોડાવવાનો ઇશારો પણ કર્યો.
62 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવાની તૈયારી
સ્વચ્છ ભારત અભિયાન હેઠળ સરકારની ઇચ્છા દેશના 4041 શહેરોને આગામી પાંચ વર્ષોમાં સ્વચ્છ બનાવવાની છે. તેનાપર 62 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવાની તૈયારી છે.