RBIએ લીધો મોટો નિર્ણય, હવે ભારતીય રૂપિયામાં થશે ઇન્ટરનેશનલ ટ્રેડ સેટલમેન્ટ
એક મોટો નિર્ણય લેતા ભારતીય રિઝર્વ બેંકે ભારતીય રૂપિયામાં ઈન્ટરનેશનલ ટ્રેડ સેટલમેન્ટમાં કરવાની જાહેરાત કરી છે. આરબીઆઈએ કહ્યું છે કે વૈશ્વિક સ્તરે થઈ રહેલા દરેક વ્યવસાયને ભારતીય રૂપિયામાં સેટલ કરી શકાય છે. વાસ્તવમાં નિકાસમ
એક મોટો નિર્ણય લેતા ભારતીય રિઝર્વ બેંકે ભારતીય રૂપિયામાં ઈન્ટરનેશનલ ટ્રેડ સેટલમેન્ટમાં કરવાની જાહેરાત કરી છે. આરબીઆઈએ કહ્યું છે કે વૈશ્વિક સ્તરે થઈ રહેલા દરેક વ્યવસાયને ભારતીય રૂપિયામાં સેટલ કરી શકાય છે. વાસ્તવમાં નિકાસમાં ભારતીય રૂપિયાના ઉપયોગને કારણે વૈશ્વિક વેપારમાં રૂપિયાને પ્રોત્સાહન મળવાથી ભારતીય રૂપિયાને મજબૂતી મળશે.
ભારતીય રૂપિયામાં વૈશ્વિક વેપારી સમુદાયના વધતા રસને સમર્થન આપવા માટે આરબીઆઈએ આ મોટું પગલું ભર્યું છે. આરબીઆઈના આ નિર્ણયથી ઈન્વોઈસિંગ, પેમેન્ટ અને આયાત-નિકાસનું સમાધાન ભારતીય રૂપિયામાં થશે. જો કે, આ માટે એડી બેંકોએ આરબીઆઈના ફોરેન એક્સચેન્જ વિભાગની પૂર્વ મંજૂરી લેવી પડશે.
આરબીઆઈએ એડી બેંકોને ભારતમાં વોસ્ટ્રો એકાઉન્ટ ખોલવાની મંજૂરી આપી છે. આ પરવાનગી ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ (ડિપોઝીટ) રેગ્યુલેશન્સ, 2016 ના નિયમન 7(1) હેઠળ આપવામાં આવી છે. આ નિર્ણય બાદ ભારતના આયાતકારોએ ભારતીય રૂપિયામાં ચૂકવણી કરવી પડશે. આ રકમ ભાગીદાર દેશની બેંકના વિશેષ વોસ્ટ્રો ખાતામાં જમા કરવામાં આવશે. એટલે કે આરબીઆઈના આ નિર્ણયથી વેપારીઓને તેમના આયાત-નિકાસ સોદાને ભારતીય રૂપિયામાં સેટલ કરવાની સુવિધા મળશે.