ભારતમાં 20 ટકા માર્ગ અકસ્માતોનું કારણ નકલી ઓટો પાર્ટ્સ
મુંબઇ, 17 જૂન : ભારતમાં નકલી ઓટો પાર્ટસનું બજાર દહાડે દિવસે વિસ્તરી રહ્યું છે. ઓટોમોટીવ કમ્પોનન્ટ એસોસિએશનના અંદાજ મુજબ નકલી પાર્ટસનું બજાર ત્રણ વર્ષ દરમિયાન 8,500 કરોડથી વધીને 14,000 કરોડે પહોંચ્યુ છે. દેશના રસ્તાઓ ઉપર સર્જાતા અકસ્માતો પૈકી 20 ટકા અકસ્માતો ડૂપ્લીકેટ ઓટો પાર્ટસને કારણે સર્જાતા હોવાનું તારણ નીકળ્યું છે. જે અત્યંત ગંભીર બાબત છે.
દેશના 35,000 કરોડના ઓટો પાર્ટસ માર્કેટમાંથી 30થી 40 ટકા માર્કેટ નકલી બજારે સર કર્યુ છે. ક્લચ, ફિલ્ટર, લેમ્પ, વાઇપર, બેરીંગ્સ, સ્ટીયરીંગઆર્મ, બ્રેક પટ્ટા અને બ્રેક લાઇનીંગ જેવા અગત્યના પાર્ટસ બજારમાં ખુલ્લેઆમ ઉપલબ્ધ બને છે.

માત્ર કાર અને એસયુવી પાર્ટ્સમાં જ નકલી પાર્ટસ વેંચાતા હોય છે એવુ નથી. ટ્રક, બસ અને ટુવ્હીલરમાં પણ આવા નકલી સાધનો વપરાય છે. ઓરીજીનલ પાર્ટસથી 20 થી 30 ટકા ઓછી કિંમતે નકલી સ્પેરપાર્ટસ બજારમાં વેંચાતા હોવાથી આ બજાર સતત વિસ્તરી રહ્યું છે.
નકલી પાર્ટસના કારણે સરકારને વર્ષે 2200 કરોડની કરવેરાની આવક પણ ઓછી મળે છે. કાર ઉત્પાદકોની ફરિયાદ છે કે નકલી પાર્ટસના વપરાશને કારણે વાહનની કાર્યક્ષમતા અને તેની બ્રાન્ડ વેલ્યુ પર અસર થાય છે. એક જેન્યુઇન ઉત્પાદકે પોતાની બ્રાન્ડનું ડુપ્લીકેશન ઝડપી લેવા 33 દરોડા પડાવ્યા હતાં. જો કે પાછળથી મામલો સુલટાવી દેવામાં આવ્યો હતો.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?









Click it and Unblock the Notifications
