બિલમાં કર્યો યુપીએના સ્કેમનો ઉલ્લેખ, કોંગીઓએ કરાવી રેસ્ટોરન્ટ બંધ!
મુંબઇ, 23 જુલાઇ: મુંબઇના પરેલ વિસ્તારમાં એક રેસ્ટોરન્ટ માલિકને પોતાના બિલમાં યુપીએ સરકારના કૌભાંડોનો ઉલ્લેખ કરવો ભારે પડી ગયો. આ બિલ પર યુપીએ સરકારના સ્કેમ અંગે જોતા કોંગ્રેસી કાર્યકર્તાઓએ રેસ્ટોરન્ટ બંધ કરાવી દીધું. ત્યારબાદ કોંગ્રેસી મામલો નોંધાવવા પોલીસ સ્ટેશનમાં પણ ગયા. જોકે બાદમાં બિલ હટાવી લેવાતા ફરીથી રેસ્ટોરન્ટ ખોલાવી દેવામાં આવ્યું.
પરેલમાં કેઇએમ હોસ્પિટલની સામે આવેલ અદિતિ પ્યોર વેજ નામની આ રેસ્ટોરન્ટ ખૂબ જ ફેમશ છે. આ રેસ્ટોરન્ટમાં ખાધાપીધા બાદ આપવામાં આવતા બિલ પર યુપીએ સરકારના કૌભાંડો, 2જી સ્કેમ, કોલસા કૌભાંડ, અને સીડબ્લ્યુજી સ્કેમનો ઉલ્લેખ હતો. આનાથી જ રોષે ભરાયેલા યૂથ કોંગ્રેસના લગભગ 30-35 કાર્યકર્તાઓએ રેસ્ટોરન્ટ બંધ કરાવી દીધું.
મોદીએ
કર્યું
ટ્વિટ:
આ
બાજું
કોંગ્રેસ
કાર્યકર્તાઓની
આ
હરકત
પર
ગુજરાતના
મુખ્યમંત્રી
નરેન્દ્ર
મોદીએ
પણ
સવાલ
ઉઠાવ્યો
છે.
મોદીએ
પોતાના
ટ્વિટર
પર
લખ્યું
છે
કે
'આ
અસહનસિલતાની
ઉંચાઇ
છે.'
Height of Intolerance! http://t.co/j7q2J6DMKO #AditiRestaurant pic.twitter.com/oszKFyOx3P
— Narendra Modi (@narendramodi) July 23, 2013