Hariaya:: ઋષભ પંતનો જીવ બચાવનાર ડ્રાઇવર અને કંડક્ટર સમ્માનિત, સીએમ કર્યા વખાણ
હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર રોડવેજના ડ્રાઇવર અને કંડક્ટર સમ્માનિત કર્યા છે, જેમણે પંતનો જીવ બચાવ્યો હતો.
નવા વર્ષના એક દિવસ પહેલા ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી ઋષભ પંતનો મોટુ એક્સિડેન્ટ થયુ હતુ. આ દરમિયાન હરિયાણા રોડવેજના ટ્રાઇવર સુશીલ કુમાર અે કંડક્ટર પરમજીતે તેના જીવની પરવા કર્યા વગર તેનો જીવ બચાવ્યો હતો. તેના આ અભૂતપૂર્વ કાર્ય માટે હરિયાણા સરકારે ગણતંત્ર દિવસ પર બંન્નેને સમ્માનિત કર્યા હતા. સાથે જ તેમને પ્રશસ્તિ પત્ર પ્રદાન કર્યુ હતુ.
ગુરુવારે ગણતંત્ર દિવસ સમારોહમાં સુશીલ અે પરમજીતને વિશેષ રૂપથી આમંત્રીત કરવામાં આવ્યા હાતા. સીએમ મનોહર લાલ ખટ્ટરે બંનેને સમ્માનિત કરીને તમના કામના વખાણ કર્યા હતા. આ કાર્યક્રમને લીધે બંને કર્મચારી ઉતરાખંડ નથી થઇ શક્યા. એવામાં સુશીલ કુમાર પત્ની અને પરમજીતના પિતા દેહરાદુનમાં આયોજીત કાર્યક્રમમાં સીએમ પુષ્કર સિંહ ધામી પાસેથી પુરષ્કાર પ્રાપ્ત કર્યો છે. સીએમ ધામીએ નીશુ અને રજત નામના બે યુવાનોનું પણ સમ્માન કર્યુ હતુ. તેમને ઘટના બાદ તુંરત પતની મદદ કરી હતી.
સીએમે કહી આ વાત
મુખ્યમંત્રીએ સમ્માન સમારોહમાં એક વીિયો ટ્વીટ કરી લખ્યુ છે કે ભારતીય ક્રિકેટર ઋષભ પંતની જાન બચાવનાર હરિયાણા રોડવેજના ડ્રાઇવર સુશીલ કુમાર અને પરીચાલક પરમજીતે માનવતાની મિસાલ રજુ કરી છે. આજે ગણતંત્ર દિવસના અવસરે બંને લોકોને સમ્માનિત કરવામાં આવ્યા છે. કડક બોલી અને સરળ હદ્યના હરિયાણવી , જીવનની દરેક કાર્યમાં પોતાની છાપ છોડી રહ્યા છે.
#WATCH | Haryana CM Manohar Lal Khattar today felicitated Haryana Roadways driver Sushil Kumar, and conductor Paramjeet for helping cricketer Rishabh Pant after his accident on Dec 30, 2022. pic.twitter.com/8xN4JzOWK6
— ANI (@ANI) January 26, 2023