For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેદારનાથ પહોંચવાનો રોડ માર્ગ સપ્ટેમ્બર સુધીમાં તૈયાર થશે

|
Google Oneindia Gujarati News

kedarnath-temple
નવી દિલ્હી, 10 જુલાઇ : ઉત્તરાખંડમાં આવેલા ભયાનક પૂર અને ભેખડ ધસી પડવાની ઘટનાઓના અંદાજે એક મહિના બાદ હવે સ્થિતિ સુધરતા માર્ગ પરિવહન અને રાજમાર્ગ પરિવહન મંત્રાલય રાજ્યના રોડ માર્ગોને ફરીથી રિપેર કરવાના પ્રયાસમાં લાગી ગયું છે. મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર એક અંદાજ મુજબ કેદારનાથ મંદિર સુધી પહોંચવાનો રોડ માર્ગ સપ્ટેમ્બર સુધીમાં તૈયાર થઇ જવાની શક્યતા છે.

આ અંગે માર્ગ અને પરિવહન મંત્રી ઓસ્કાર ફર્નાન્ડિઝે જણાવ્યું કે પુન:નિર્માણ કાર્ય શરૂ થઇ ચૂક્યું છે. આમ છતાં કેટલાક એવા વિસ્તારો છે, જ્યાં સમગ્ર માર્ગ ધોવાઇ ગયો છે. અહીં અમારે નવા માર્ગ નવેસરથી બનાવવાની જરૂર છે. તેમાં એક - બે મહિના કે તેથી વધારે સમય લાગી શકે એમ છે. આમ છતાં અમને આશા છે કે અમે સપ્ટેમ્બર સુધીમાં કેદારનાથ મંદિર સુધીનો માર્ગ તૈયાર કરવામાં સફળ થઇશું.

ઉત્તરાખંડમાં 16 અને 17 જૂને થયેલા ભારે વરસાદને કારણે હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને હજારો લોકો બરબાદ અને ઘાયલ થયા છે. આજે પણ એક ભેખડ ધસી પડતા 7 લોકોના મોત થયાના અહેવાલ છે.

English summary
Road to reach Kedarnath will be start in September
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X