જમ્મુ-કાશ્મીરમાં શહીદોના નામે રસ્તાઓ અને શાળાઓના નામ રખાશે!
જમ્મુ અને કાશ્મીરમાં વહીવટીતંત્રે હવે શાળાઓ, રસ્તાઓ અને ઈમારતોના નામ શહીદ જવાનોના નામ પર રાખવાની જાહેરાત કરી છે, જે આતંકવાદ સામે લડતા ખીણમાં શહીદ થયા હતા.
શ્રીનગર, 29 ઓક્ટોબર : જમ્મુ અને કાશ્મીરમાં વહીવટીતંત્રે હવે શાળાઓ, રસ્તાઓ અને ઈમારતોના નામ શહીદ જવાનોના નામ પર રાખવાની જાહેરાત કરી છે, જે આતંકવાદ સામે લડતા ખીણમાં શહીદ થયા હતા. જમ્મુ-કાશ્મીર પ્રશાસને તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ માટે 108 શહીદ જવાનોના નામની યાદી તૈયાર કરવામાં આવી છે. આ તમામ સૈનિકોએ આતંકવાદ સામે લડતી વખતે વીરગતિ પ્રાપ્ત કરી હતી અને તેમને વીરતા પુરસ્કાર પણ મળ્યા હતા.

માહિતી અનુસાર, આ યાદીમાં મોટાભાગના નામ રાજ્ય પોલીસ અને સેનાના જવાનોના છે, જે જમ્મુ અને કાશ્મીરમાં વિદ્રોહ પછી આતંકવાદીઓ સામે લડતા માર્યા ગયા છે. સુરક્ષા દળો ઉપરાંત આ યાદીમાં ટોચના શિક્ષણવિદો અને સાહિત્ય અકાદમી એવોર્ડ જીતનાર કલાકારોના નામ પણ સામેલ છે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ સ્થાનિક પ્રશાસને આ નિર્ણય લીધો હતો.
જમ્મુ-કાશ્મીર પ્રશાસન તરફથી કહેવામાં આવ્યું છે કે, આ નિર્ણય ભારત સરકારના આઝાદી કા અમૃત મહોત્સવને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણીના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે આ નિર્ણય લીધો છે.
તમને જણાવી દઈએ કે પ્રશાસન દ્વારા બનાવવામાં આવેલી 108 નામોની યાદીમાં જમ્મુ-કાશ્મીર પોલીસના આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર મોહમ્મદ અકબરનું નામ છે, જેને 2014માં ઉરીના મોહરામાં આર્મી કેમ્પ પર થયેલા આતંકી હુમલામાં જીવ ગુમાવ્યો હતો. આ હુમલામાં ઘણા સૈનિકો અને પોલીસકર્મીઓ શહીદ થયા હતા. આ સિવાય 2009માં કુપવાડામાં ઘૂસણખોરો વિરુદ્ધ ઓપરેશનમાં માર્યા ગયેલા શબ્બીર અહેમદ મલિકનો પણ આ યાદીમાં સમાવેશ છે. આ યાદીમાં જમ્મુ અને કાશ્મીર લાઇટ ઇન્ફન્ટ્રી ડિવિઝનના નાયબ સુબેદાર ચુન્ની લાલનો પણ સમાવેશ થયો છે, જે 24 જૂન, 2007ના રોજ કુપવાડા જિલ્લામાં એન્કાઉન્ટર દરમિયાન શહીદ થયા હતા.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
