રોહિતના મોત મામલે પત્ની અપૂર્વાની પોલીસે ધરપકડ કરી
રોહિતના મોત મામલે પત્ની અપૂર્વાની પોલીસે ધરપકડ કરી
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના પૂર્વ સીએમ એનડી તિવારીના દીકરા રોહિત શેખરના મૃત્યુ મામલે દિલ્હી પોલીસે તેમની પત્ની અપૂર્વાની ધરપકડ કરી લીધી છે. રોહિત શેખરના મૃત્યુ મામલે પોલીસે શરૂઆતથી જ તેમની પત્ની અપૂર્વાની ભૂમિકાને સંદિગ્ધ માની રહી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમ પાછલા કેટલાય દિવસોથી તેમની સતત પૂછપરછ કરી રહી હતી. સૂત્રોનું કહેવું છે કે પૂછતાછ દરમિયાન અપૂર્વા તપાસ ટીમ સમક્ષ સતત પોતાના નિવેદન પણ બદલી રહી હતી. રોહિતની પત્ની અપૂર્વાની ધરપકડ બાદ માનવામાં આવી રહ્યું છે કે પોલીસ બહુ જલદી રોહિત શેખરના મૃત્યુના સિક્રેટ પરથી પડદો હટાવી શકે છે.

રોહિતના ભાઈ અને નોકરાણીઓને ક્લીન ચિટ
જણાવી દઈએ કે રોહિત શેખરના મૃત્યુ મામલે પોલીસની તપાસ ટીમ તેમની પત્ની અપૂર્વા, ભાઈ સિદ્ધાર્થ, નોકર ભોલૂ, ડ્રાઈવર અખિલેશ અને બે નોકરાણીઓની પૂછપરછ કરી રહી હતી. પોલીસ સૂત્રોનું કહેવું છે કે રોહિત શેખરનું જે રાત્રે મૃત્યુ થયું ત્યારે પહેલા માળે તેમની પત્ની અપૂર્વા, ઘરનો નોકર ભોલૂ અને ડ્રાઈવર અખિલેશ હતા, જ્યારે રોહિતનો ભાઈ સિદ્ધાર્થ અને બે નોકરાણીઓ ગ્રાઉન્ડ ફ્લોર પર હતી. જો ક સૂત્રોનું માનીએ તો પોલીસે રોહિતના ભાઈ સિદ્ધાર્થ અને બંને નોકરાણીઓને ક્લીન ચિટ આપી દીધી છે. રોહિતની પત્ની અપૂર્વા સાથે પૂછપરછ બાદ તેની ભૂમિકા સંદિગ્ધ મળ્યા બાદ પોલીસે તેની ધરપકડ કરી લીધી.

અપૂર્વા-રોહિતના સંબંધ ઠીક નહોતા
અગાઉ રોહિત શેખરની મા ઉજ્જવલા અપૂર્વા અને રોહિતના સંબંધોને લઈ મોટું સિક્રેટ ખોલ્યું હતું. ઉજ્જવલાએ જણાવ્યું કે અપૂર્વા અને રોહિત વચ્ચે દિવસેને દિવસે સંબંધ બગડતા જઈ રહ્યા હતા. તેમના મુજબ લગ્નના આગલા દિવસેથી જ પતિ-પત્નીમાં ઝઘડો શરૂ થઈ ગયો હતો, બંને અલગ-અલગ જ ઉંઘતાં હતાં. આ કારણ જ હતું કે બંને સહમતિથી તલાકની તૈયારી કરી રહ્યા હતા અને જો બધું ઠીક રહેત તો જૂનમાં અપૂર્વા અને રોહિત અલગ થઈ શકે તેમ હતાં. ઉજ્જવલાએ રોહિતના મૃત્યુ બાદ જ કહ્યું હતું કે જે પરિસ્થિતિઓમાં તેના દીકરાનું મૃત્યુ થયું તે વિશે બાદમાં જણાવશે.

રોહિતની માએ લગાવ્યા ગંભીર આરોપ
રોહિતની મા ઉજ્જવલાએ અપૂર્વા અને તેના પરિવાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ઉજ્જવલાએ કહ્યું હતું કે અપૂર્વા અને તેનો પરિવાર સંપત્તિ હડપવા માંગે છે. તેમનું એમ પણ કહેવું હતું કે રોહિત જે ઘરમાં રહેતો હતો, તે સુપ્રીમ કોર્ટ પાસે છે, અહીં અપૂર્વા પ્રેક્ટિસ કરે છે. રોહિતની માએ કહ્યું કે અપૂર્વાનો પરિવાર પૈસાનો લાલચી છે. ઉલ્લેખનીય છે કે રોહિત શેખરની પત્ની અપૂર્વા સુપ્રીમ કોર્ટમાં વકીલ છે. અપૂર્વા મૂળ રૂપે ઈન્દોરની રહેવાસી છે. તેમની અને રોહિતની મુલાકાત દિલ્હીમાં થઈ હતી. અપૂર્વાના પિતા પણ વ્યવસાયે વકીલ છે.

એક વર્ષ પહેલા જ થયાં હતાં લગ્ન
જણાવી દઈએ કે નારાયણ દત્ત તિવારી લાંબા સમય સુધી રોહિતને પોતાનો દીકરો માનવાથી પણ ઈનકાર કરતા રહ્યા હતા. 2014માં તિવારીએ અદાલતના આદેશ બાદ રોહિતને પોતાના દીકરા તરીકે સ્વીકાર કરી લીધો. એનડીએ તિવારીનું 93 વર્ષની ઉંમરે 18 ઓક્ટોબર 2018ના રોજ નિધન થયું હતું. રોહિત જાન્યુઆરી 2017માં ભાજપમાં સામેલ થયો હતો અને એક વર્ષ પહેલા જ તેમણે અપૂર્વા શુક્લા સાથે લગ્ન કર્યાં હતાં.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
